________________
આત્મસ્વાતંત્ર્ય
૧૧૩ હોય છે તેનાથી પરિસ્થિતિ બિચારી ડરે છે; પણ જેને ફેશનને ચટકે પડેલે હોય છે તેને પરિસ્થિતિ વિકટ લાગે છે અને તે અનેક અપમાન સહન કરાવે છે. પરિસ્થિતિ એક જ છે પણ તેની છાયા પિતાના પર કેટલા સુધી પડવા દેવી તે દરેકને સ્વાધીન હોય છે અને તેથી જ તેના પરિણામમાં ભેદ જણાઈ આવે છે. કદી પણ કોઈને વિકટ પરિસ્થિતિ પ્રાપ્ત થતી નથી એમ કહેવાનું નથી, પણ એકાદ પરિસ્થિતિ વિકટ થવી ન થવી એ ઘણા અંશે પોતાના પૂર્વવૃત્ત પર અવલંબિત હોય છે. દારૂની દુકાનમાં ગયા પછી ત્યાંની પરિસ્થિતિ દારૂ પાન કરાવે; પણ તે દુકાન તરફ પગલાં જ ન ભર્યો હોત તે પછી દુકાનમાંની પરિસ્થિતિ બાંધીને લઈ ગઈ ને હેત. ચા-બીસ્કીટ ઉડાવવાની, કેટ, પાટલૂન, નેકટાય ધારણ કરવા વગેરેની ટેવ પાડી લીધા પછી – આરંભમાં નહિ – પરિમિત પગાર પર જીવન ચલાવવું કઠિન થાય છે: કિબના અશકયવત બને છે. પરંતુ એ ટેવ પાડી લીધી ન હોત તો હંટલે પામર્સ કંપનીને કે વાઈટ લેડલ કંપનીને મેનેજર કોઈના ઉપર ભૂરકી નાખીને ખેંચી જવાને શક્તિમાન ન થાત, વિશિષ્ટ પરિસ્થિતિને બાધક કે પિષક બનાવી લેવી એ આપણું હાથની જ વાત છે. પરિસ્થિતિરૂપી સ્ત્રી મજબૂત, વૈર્યશાળી અને મસ્ત છે, પણ તે આપણું ચહેરા તરફ જોઈને પિતાનું વર્તન ચલાવે છે. આપણે જે અનુમોદન કે ઉત્તેજન આપતા નથી, તે તેની ચેષ્ટા ઓછી થતી જાય છે.
છવિતરૂપી રથનું સારથિપણું મારી પાસે છે, વાસના કિવા પરિસ્થિતિ કેવળ મેં લગામ પહેરાવેલા અશ્વરૂપ છે. તે કોઈ વખત પૂરપાટ અને ગમે તેમ દોડવા લાગે છે એ ખરું છે; પણ તેનું કારણ એ જ હોય છે કે મેં લગામ ઢીલી મૂકેલી હોય છે.
હવે કદાચ કેટલાક કહેશે કે, “આત્મા” નામનો “સારથિ પણ કર્મ, દેવ, દેવ, સૃષ્ટિ કિંવા પરિસ્થિતિ પૈકીની એક અથવા અનેક શક્તિના હસ્તમાં રહેલ કળસૂત્રી પૂતળા જેવો છે. એ વાદ સ્વતંત્ર છે. તેનો વિચાર આગળ પર થશે જ.
૨. કેટલાક નિયતવાદી ( Determinists) લેક પ્રવૃત્તિસ્વાતંત્ર્યવાદ વિરુદ્ધ એવો આક્ષેપ કરે છે કે, “આત્મા વાસનાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org