________________
નીતિશાસ્ત્ર પ્રવેશ કારણનું ફળ છે. આ સર્વ કાર્યકારણભાવની રમત છે. ” વિશિષ્ટ સ્વરૂપને થયો તેનાં વિશિષ્ટ કારણ છે; માટે મારામાં જે ઈચ્છાશક્તિ કમજોર હેય, તે મને જે કારણસમૂહ મૂર્ત સ્વરૂપ આપ્યું, તેને દોષ આપે, મને શા માટે? કારણ હું સુધ્ધાં કારણને” દાસ છું, હું સ્વતંત્ર જરાય નથી, માટે જ મને જવાબદાર ન ગણે.” આ પ્રશ્નને ઉત્તર કઠિન છે, પણ આપ જ જોઈએ. ન આપીએ તે આત્મસ્વાતંત્ર્ય પરની શ્રદ્ધા આપણે ત્યાગ કરી જાય એવો ભય રહે છે. આત્મા સ્વતંત્ર નહિ પણ દાસ છે એવી માન્યતા થાય, તે આત્મામાં શું સ્વાસ્થ રહે અને નીતિશાસ્ત્ર કોને શા સારુ સંભળાવવાની જરૂર રહે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org