________________
અબુદ્ધિપુર:સર અને બુદ્ધિપુર:સર કમ ૧૦૯ મૂર્તિ તરફ ઈરાદાપૂર્વક લક્ષ આપું છું' એવું કતૃત્વસૂચક વાક્ય યોજવું જોઈએ. જે સમયે આપોઆપ અને નિશ્ચય કર્યા વિના લક્ષ લાગે છે, તે વખતે ઊઠીને બેસવાનું શ્રેય મને મળી શકતું નથી, પણ જ્યારે હું નિશ્ચયપૂર્વક મનમાં કહ્યું કે “બસ, હવે સુખલાલસાને દાદ દેવી નથી, આળસમાં ભયંકર અવગુણ છે, ત્યારે ઊઠીને બેસવાનું શ્રેય મને મળી શકે છે. જે ઊઠીને બેસવાનું શ્રેય હું લઉં, તો ન્યાયપૂર્વક પાપને ભાર પણ મારે લેવો જોઈએ. શવ્યા પર આળોટવાના સુખની માનસમૂર્તિ હું ચક્ષુ સમીપ રમાડ્યા કરતે હતા અને ક્રોધ કરી કઠોરતાથી મને કર્મ કરવા કહેનાર તેની શેક્યને હું મુખ બતાવવા દેતે નહતું તેથી જ હું સ્વસ્થ પડી રહી શકતો હતો. એમ છતાં એ ક્રોધાયમાન બનેલી મૂર્તિ મારા માનસપ્રદેશમાં ધસી આવતી, તે હું મોઢું ફેરવી લઈ તેના તરફ દુર્લક્ષ કરતો હતો. એવા પ્રકારના દુર્લક્ષથી તે રસ્તે પડી ગઈ હોય અથવા નિરાશાથી ત્યાં જ પડી રહી હોય, તે મને તેના અસ્તિત્વનું ભાન રહે નહિ અને એવા પ્રકારના અજ્ઞાનથી આળસનું પાપકર્મ મારા હાથે થાય; પણ અહીં તે વાત એ છે કે, એને અજ્ઞાન શી રીતે કહેવાય? ઉદ્યોગ કરવા સૂચવતી મૂર્તિ તરફ મેં જોઈએ એટલું લક્ષ આપ્યું નહિ, એનું નામ અજ્ઞાન? તેનું અપમાન કરવાથી સુખલાલસાનું સામ્રાજ્ય પ્રવત્યું અને કર્તવ્યનું અજ્ઞાન સિદ્ધ થઈ હું કર્તવ્યય્યત થયો! એ અજ્ઞાન માટે હું જ જવાબદાર હોઈ શકું, અન્ય નહિ.
આના જવાબમાં કઈ કહેશે કે, કઈ મતિ તરફ વિશેષ લક્ષ આપવું અને કઈ તરફ ઓછું આપવું એ મારી સત્તામાં નહતું. એને આધારે મારા જન્મસ્વભાવ પર, શિક્ષણ પર, ટેવ પર, સમયની પરિસ્થિતિ પર, પ્રકૃતિ વગેરે પર હતો. કઈ તરફ વિશેષ લક્ષ આપવું એ એક પ્રકારનું કાર્ય છે. એ કાર્યને કારણ હોવાં જોઈએ. એ કારણે જ્યાં છે, ત્યાં તેનું કાર્ય થવું જ જોઈએ. તેમાં મારે શ દેવ? આવા પ્રશ્નને માટે કાઈ કહે કે, એ કારણમાં ‘તમારી ઈચ્છાશક્તિ કિંવા તમારે નિશ્ચય’ કિંવા એક શબ્દમાં ‘તમે કારણ છે; ત્યારે તે કહે છે કે, “હું'—' નામનું જે કોઈ છે, તે પણ એક કાર્ય જ છે અને હું રૂપી કાર્ય, તપૂર્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org