________________
નીતિશાસ્ત્ર પ્રવેશ કારણને લીધે “આ કાર્ય પાપાત્મક છે” એવું જ્ઞાન લુપ્ત અથવા નષ્ટ થાય છે. એ જ્ઞાનલેપ કિંવા વિસ્કૃતિના કાળમાં આપણા હાથે થયેલા કર્મ માટે આપણે નૈતિક દૃષ્ટિએ જવાબદાર નથી એમ પણ કેટલાક કહે છે.
આ વિચારસરણી દેષિત છે. ધારો કે દારૂ પીધા પછી ભાન રહેવાનું નથી અને પછી પોતે ગમે ત્યાં પડશે, ગમે તે કરી બેસશે, અને ગમે તેવું બકશે, એ વાત એક દારૂડિયે જાણે છે, આવું જ્ઞાન હોવા છતાં જે તે દારૂ પીએ, અને પછી નશામાં ગમે તે કરે, તે તેને માટે જવાબદાર છે જ. હા, કબૂલ કરીશું કે નશાના સમયમાં તેને પોતાના કર્મનું સ્પષ્ટ ભાન નથી હોતું; પણ તે પહેલાં તેને એ સ્થિતિની અટકળ હતી છતાં તેણે દારૂ પીધે; માટે દારૂ પીધાથી જે જે પરિણામ આવે, તે તે પરિણામની તેને અટકળ હતી તેથી તે, તે તે પરિણામ માટે જવાબદાર છે. હું પાપકર્મ કરું છું તે વખતે – એટલે તે ક્ષણે – એ પાપકર્મ છે એનું મને સ્પષ્ટ જ્ઞાન હોતું નથી. તે વખતે હું કર્મને સારા અને પાપરહિત ફળ તરફ જ જોતો હોઉં છું. આળસને લીધે સૂતી વખતે હું નિદ્રાના સુખ તરફ જેતે હેઉં છું. આળસને લીધે મને હાનિ થશે, ગયેલી ક્ષણ પાછી આવવાની નથી, એ વાત હું ભૂલી ગયેલો હોઉં છું. એકાદ વખત પૂર્ણ વિસ્મૃતિ થયેલી નહિ હેય, પણ એ કલ્પના પર મારે એકાગ્ર દૃષ્ટિએ જેટલું લક્ષ આપવું જોઈએ, તેટલું લક્ષ આપતું નથી. મારાં ચક્ષુ સમીપ નિદ્રાસુખ (નિદ્રાસુખ” કહેવા કરતાં શયાપર સ્વસ્થ પડી રહેવાનું સુખ) અને તેના દોષ કોઈ પ્રસંગે એકસમયે ખડા થઈ જાય છે. સ્વસ્થ પડી રહેવાના સુખ તરફ વિશેષ લક્ષ આપવું કે તે દેષ તરફ આપવું, એ મારી સત્તામાં હોય છે. ઘણી વાર હું સુખ તરફ લક્ષ આપું છું, અને દેશનું સ્મરણ બાજુએ મૂકવા ઈચ્છું છું. અરે, તેને ત્યજી જ દેઉં છું. પરંતુ કાલાન્તરે પુનઃ સ્વસ્થ પડી રહેવાનું સુખ અને તદનુવંગિક દેવની મૂતિ મારા આંતરચક્ષુ આગળ ઊભી રહે છે, એટલે એકાગ્રતાથી દેશાત્મક મૂર્તિમાં લક્ષ લાગે છે અને હું બેસી જ રહું છું. ખરી રીતે “એકાગ્રતાથી લક્ષ લાગે છે” કહેવા કરતાં “હું તે દોષાત્મક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org