________________
અબુદ્ધિપુર:સર અને બુદ્ધિપુર સર કમ ૧૦૦ તેવી જ રીતે અમુક દુર્ગધમય ગલીમાંથી પસાર થવું પડે, પણ ત્યાં થઈને ગયા સિવાય ચાલે તેમ ન હોય, તે તે માર્ગે થઈને જવાની ઈચ્છા, એ પણ આનુષંગિક હેતુ છે. મનમાં જે મુખ્ય હેતુ યોજેલો હોય, તેને જ વ્યવહારમાં “હેતુ” સંજ્ઞા અપાય છે; પણ આનુષંગિક અનિષ્ટ પ્રકાર બનશે એમ જાણવા છતાં આપણે તે કાર્ય કરીએ છીએ, ત્યારે એક રીતે અપ્રિય અને બીજી રીતે ઇષ્ટ રહેલી વાતની ઈચ્છા વ્યક્ત કરનાર શબ્દની જરૂર રહે છે, પણ તે શબ્દ અંગ્રેજીમાં ઉપલબ્ધ નથી. આપણે તેને અનુષંગી કિંવા આનુષંગિક હેતુ કહીશું.
વાસ્તવિક રીતે જોઈએ તે મુખ્ય હેતુ અને આનુષંગિક હેતુ એ આપણી બુદ્ધિએ ઉપસ્થિત કરેલા ભેદ છે. કઈ પણ કાર્ય કરતાં પહેલાં હેતુ એક જ હોય છે. જે જે સારું નરસું પરિણામ આવે, તે બધાની ઈચ્છા એ આપણે ખરે હેતુ હેય છે. જરૂર હોય તો એ સમુદાયના વિશિષ્ટ અંગને “મુખ્ય હેતુ” કહે અને બીજાને “આનુવંગિક” અથવા “ગૌણ” કહે; પણ કેઈએ એમ ન સમજવું કે મુખ્ય અથવા ગૌણને અનુરૂપ એવી કોઈ સ્વતંત્ર માનસિક અવસ્થા છે. કર્મ કરતા પહેલાંની અવસ્થામાં એ બને એકછવ બનેલ હોય છે તેથી જ કર્તાને જ્ઞાત એવા ઈષ્ટ પરિણામ વિષે અને અનિષ્ટ જણાતા પરિણામ વિષે પણ તેને નૈતિક દષ્ટિએ જવાબદાર ગણવામાં આવે છે.
(એ) આપણે પાપ કરીએ છીએ તે બુદ્ધિપુરઃસર થાય છે કે કેમ, એ વિચાર કરવા જેવો પ્રશ્ન છે. કેટલાક કહે છે કે, પાપકર્મ ખરાબ વસ્તુ છે એવું સ્પષ્ટ રીતે જાણવામાં હોય, તે આપણા હાથે પાપ થવું શક્ય નથી; અને તેવું સ્પષ્ટ જાણવામાં ન હોય તો એ અજ્ઞાનજન્ય પાપ માટે નૈતિક દૃષ્ટિએ આપણે જવાબદાર નથી. આ એક દાવ છે અને ક્ષણભર તે સાચે લાગે છે. એ તે ખુલ્લું છે કે, આગળ એંસી હાથનું કાતર અથવા અગ્નિનો પથાર પડેલે હેય. તે હું તેમાં કદી કૂદકે ન મારું; તેવી જ રીતે અમુક કર્મ અધમપણુનું હોવાનું જ્ઞાન હોય, તે તે હું કદી કરું નહિ. સોક્રેટિસ કહે કે પાપ એટલે અજ્ઞાન. ચક્ષુ ખુલ્લાં રાખી કોઈ પાપ કરે નહિ; પાપ કરતી વખતે કેટલાંક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org