________________
નીતિશાસ્ત્ર પ્રવેશ
મુખ્ય અને આનુષંગિક હેતુ (એ) ઘણી વાર ઈચ્છા, મનીષા, હેતુ અને ઉદ્દેશ એ શબ્દો એક જ અર્થમાં વપરાય છે, પણ માનસશાસ્ત્ર વિષયક ચર્ચા કરવામાં નકામી – આમ તેમથી મનમાં આવી જતી – ધાને “ઈચ્છા ” કહેવાને, અને છેલી બાબત માટે કંઈ પણ પ્રયત્ન કરવાની જેનામાં શક્તિ છે તે ઇચ્છાને “હેતુ” કે “ઉદ્દેશ” કહેવાનો રિવાજ પડે, તે ઠીક. આ વાત અશક્ય કેટીની છે એમ જાણવા છતાં જે ઇચ્છા થાય છે, તે ઇચ્છા (Wish); અને અશક્ય નહિ એવી વાતની ઈચ્છા એ “મનીષા” (Desire) : એવો ભેદ જે કરી શકાય, તે તે ભેદ પણ ઇષ્ટ છે.
એક દષ્ટિએ હેતુ અને ઉદે શબ્દનો અર્થ મિશ્ર છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. રાજકીય કિંવા સામાજિક દેશકાર્ય કરવાનો હેતુ રાખનાર જાણતા હોય છે કે, દારિદ્રશ્યને લીધે પિતાનાં બાળબચ્ચાં બેહાલ બનવાનો સંભવ છે. બાળબચ્ચાંના બેહાલ થાય તેવાં કર્મ તે બુદ્ધિપુર:સર કરે છે, અર્થાત્ ઉચ્ચતર કાર્ય સિદ્ધ કરવા માટે કરે છે. “બેહાલ બનશે અને તેમ થાય તે પણ તેની દરકાર નથી” એવું મનમાં ધારીને તે જ્યારે સ્વીકારેલું કાર્ય કરે છે ત્યારે તે કામ કરતા પહેલાંના સમયની મનઃસ્થિતિમાં એ વાતને અંતર્ભાવ કરી જ લેવો જોઈએ. આ રીતે “બાળબચ્ચાં બેહાલ બનશે” એ વાત તેના મનમાં હતી; પણ બીજા એક અર્થમાં તેના “મનમાં ન હતી ” એમ પણ કહેવાય. અંગ્રેજી નીતિશાસ્ત્રમાં motive અને intention શબ્દમાં કેટલાક જે ભેદ કહે છે, (વ્યવહારિક ભાષાને એ ભેદ માન્ય નથી) તે ધ્યાનમાં રાખવા જેવો છે. દેશકાર્ય કરવાની ઈચ્છાને તેઓ motive કહે છે, પણ એ કાર્ય કરવામાં જે કંઈ સારું નરસું પરિણામ આવવાનું હોય છે તે તે જાણતા હોય છે, ત્યારે તે પરિણામસમૂહની ઇચ્છાને તેઓ intention કહે છે. મનમાં મુખ્ય હેતુ એક હોય છે, પણ તે સાધ્ય કરતાં કરતાં ઘણી ઈષ્ટ-અનિષ્ટ વાત બનશે એ આપણે જાણતા હોઈએ છીએ. બજારમાં જવાના આશયથી બહાર નીકળતાં કોઈ મિત્ર માર્ગમાં મળી જાય એ આનુષગિક હેતુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org