________________
અબુદ્દિપુર:સર અને બુદ્દિપુર:સર કમ
૧૦૫
સમયનું — સંધ્યાનું સૌંદર્ય જોઈને આપણામાં અવર્ણનીય ભાવના ઉત્પન્ન થાય છે અને ઘડી વાર આપણે સ્તબ્ધ બની જઈએ છીએ; પણ સધ્યાને હસ્તગત કરવાની કે અન્ય કંઈ કરવાની ઇચ્છા થતી નથી. આ ઉપરથી સમજાશે કે, જ્યાં ભાવના હોય ત્યાં પ્રવ્રુત્ત હાવી જ જોઈ એ એમ કઈ નથી, એટલું માત્ર વિશેષ છે કે, સહજવૃત્તિ હૈાય છે ત્યાં તદ્દનુરૂપ ભાવના હાય છે જ. સાધારણપણે એ એ વાતનું સખ્યત્વ અને પરસ્પરાવલંબિત્વ છે; પણ કેટલીક ભાવના વિશેષતઃ કામલ, સુસંસ્કૃત અને વિદગ્ધ ભાવના - શરીરમાં ઉત્પન્ન થઈ શરીરમાં જ લય પામે છે. તત્કાળ તેની
――
બાહ્ય સૃષ્ટિ પર કઈ અસર થતી નથી; પાછળથી વિચાથી થાય એ જુદી વાત છે, પણ તે અસર વિચારજન્ય છે; ભાવનાજન્ય નથી એ ધ્યાનમાં રાખવું.
――――
ઇચ્છા અને નિશ્ચય
( Wish and Will )
(૬) કાષ્ઠ વસ્તુ આપણી પાસે હાવી જેઈ એ અથવા બનવી જોઈએ એમ આપણને લાગે છે એટલે આપણતે તવિષયક ઇચ્છા છે. એમ કહીએ છીએ; પણ મનઃપ્રદેશમાં પક્ષી પ્રમાણે આવીને જતી રહેનારી ઇચ્છા અને ‘ અમુક હું કરીશ ’ એવી નિશ્ચયાત્મક ચ્છા કવા નિશ્ચય એમાં ઘણા ફેર છે. ખીજા પ્રકારની શ્રૃચ્છા ધારેલી વસ્તુ મેળવવાને કે બનાવવાને આપણને પ્રવૃત્ત કરે છે. પહેલા પ્રકારની ઇચ્છા હવાની માફક આ બારણામાંથી આવી તે બારણા વાટે જતી રહે છે. એથી વિશેષ તેનું કંઈ કાર્ય નથી. શ્રીમત થવાની, સંગીત શીખવાની, ક્રિકેટ રમવાની, સર્વ વિદ્યા સંપાદન કરવાની, સર્વ કળાના દાતા બનવાની હું ઇચ્છા રાખું છું અને તેવી ઇચ્છા કાણુ ન રાખે ? જગતમાં જે જે ઉત્તમ, સુંદર, ઉપભોગ્ય, રમણીય, ઉપયેાગી વસ્તુ છે, તે તે પ્રાપ્ત કરવાની પ્રત્યેકને ઇચ્છા મળતું હોય તે કોણ ના કહે ? પરંતુ એ ઇચ્છા માટે નિશ્ચયપૂર્વક પ્રયત્ન કરનાર વિરલ જ હાય છે.
હૈાય છે. રાજ્ય સફળ થાય તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org