________________
૧૦૪
નીતિશાસ્ત્ર પ્રવેશ () આપણું હાથે સ્વાભાવિક રીતે જે કર્મ થાય છે, તે પૈકીને (૧) સહજપ્રવૃત્તિ (Instincts), (૨) મને વિકાર અને (૩) તજજન્ય અંગવિક્ષેપ, ભ્રવિક્ષેપ, દૃષ્ટિવિક્ષેપ વગેરેને જે એક વર્ગ પ્રકરણના આરંભમાં કહ્યો છે, તેને હવે વિચાર કરીશું. સહજપ્રકૃતિ, મનોવિકાર અને મુખ પરનું તેનું વ્યક્તિ સ્વરૂપ વગેરેમાં સ્પષ્ટ વ્યવચ્છેદક મર્યાદા નિર્માણ કરવાનું શક્ય નથી. પકવ કેરી દષ્ટિએ પડતાં તે મેળવવાની સ્વભાવિક રીતે પ્રવૃત્તિ થાય છે, પણ તે જ સમયે મનમાં એક પ્રકારની સંતોષ અને ગ્રહણલાલસાની ભાવના ઉત્પન્ન થાય છે અને એ ભાવના ઉત્પન્ન થતાં જ મુખ પર તથા ચક્ષુ પર ભાવના સૂચક ફેરફાર દગ્ગોચર થાય છે. જિજ્ઞાસા એ એક પ્રવૃત્તિ છે અને મનભાવના પણ છે. સ્ત્રીપુરુષનું મિલન થતાં પ્રથમ મનમાં એક પ્રકારની લજા (ભાવના) ઉત્પન્ન થાય છે અને તેથી એક બીજાથી દૂર રહેવાની, વસ્ત્ર પાલવ સંભાળવાની, ભૂમિ પ્રતિ જોઈ રહેવા વગેરેની પ્રવૃત્તિ થાય છે. કાલાંતરે “પ્રેમ” નામક ભાવના ઉત્પન્ન થઈ સહસંભાવણ અને સહવાસની પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે. ભાવના અને પ્રવૃત્તિનું આવું સહચર્ય છે.
જ્યાં જ્યાં કોઈ પણ સહજપ્રવૃત્તિ હોય છે, ત્યાં ત્યાં તદનુરૂપ ભાવના પણ હાજર રહે છે જ; અને જ્યાં જ્યાં ભાવના હોય છે, ત્યાં ત્યાં વિશિષ્ટ કર્મ કરવાની પ્રવૃત્તિ પણ બહુધા પ્રત્યક્ષ હોય છે જ. ‘બહુધા” કહેવાનું કારણ એ છે કે, કેટલીક ભાવના પ્રવૃત્તિ રહિત હોય છે. દાખલા તરીકે, માનસશાસ્ત્રવેત્તા જેસે આપેલ દષ્ટાંત જ જોઈશું. કઈ હાસ્યાસ્પદ વાત દૃષ્ટિએ પડે છે અથવા સાંભળવામાં આવે છે, તે આપણા મનમાં વિશિષ્ટ પ્રકારના આનંદની ભાવના ઉત્પન્ન થાય છે અને આપણે હસીએ છીએ; પણ તે દૃષ્ટિએ પડેલી વાત કે સાંભળેલી વાતને પકડવાની, મારવાની કે તેના પ્રત્યે બીજું કઈ પણ કર્મ કરવાની પ્રવૃત્તિ થતી નથી. ભયની ભાવના ઉત્પન્ન થતાં આપણે તે વસ્તુથી દૂર નાસી જવા ઈચ્છીએ છીએ; પણ હાસ્યકારક બનાવને માટે આપણે શું કરવા ઇચ્છીએ છીએ ? કંઈ જ નહિ. આવા પ્રકારની જે ભાવના છે, તેની બાહ્ય જગત પર અસર કરવાની પ્રવૃત્તિ હેતી નથી. માત્ર શરીર પર જે અસર થાય તે ખરી. સૂર્ય અસ્તાચળે પહોંચે છે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org