________________
નીતિશાસ્ત્રપ્રવેશ ઉપર કહી ગયા છીએ કે, પાચનશ્વસનાદિ શરીરનાં યંત્રતુલ્ય કર્મ આપણી સત્તામાં નથી હોતાં. આપણી ઈચ્છા છે કે ન હો, પણ તે આપણી ઇન્દ્રિય દ્વારા થયે જાય છે, એ જે વાચકના લક્ષમાં હશે, તે દિયધર્માત્મક પ્રતિક્ષિત કર્મ અને અંતઃસ્કૂર્ત (Instinctive) કર્મમાં જે મહત્ત્વને ભેદ છે, તે સારી રીતે સમજાશે. સહજપ્રવૃત્તિ (Instinct ) વિરુદ્ધ પ્રકારની ટેવ, ઈચ્છાશક્તિ વગેરેથી અટકાવી શકાય છે. પચન કિંવા રૂધિરાભિસરણ પૂર્ણ રીતે અટકાવી શકાતાં નથી. છીંક, ઊલટી વગેરે પ્રતિક્ષે પાત્મક (Reflex) કર્મ પણ વિશેષ અટકાવી શકાતાં નથી. કેવળ ઇકિયધર્માત્મક પ્રતિક્ષિત ( Reflex) કર્મને આરંભ અને અંત શરીરમાં જ થાય છે. તેની બાહ્યસૃષ્ટિ પર ગ્રહણાત્મક કે દુરીકરણાત્મક, ઘટનામક કે વિઘટનાત્મક એવી વિશેષ અસર થતી નથી; પણ અંતઃસ્કૃત કર્મ બાહ્ય વસ્તુનું ગ્રહણ, ઉત્થાપન, આહાર, પાન વગેરે કરે છે, એ ભેદ પ્રથમ કહી ગયા છીએ. રુધિરભિસરણ, પાચનક્રિયા વગેરેને બાહ્ય આઘાતની વિશેષ અપેક્ષા હતી નથી, એ ત્રીજો ભેદ પણ પાછળ આવી ગયેલ છે.
(ઉ) શારીરિક યંત્રતુલ્ય કર્મ અને સહજ-પ્રવૃત્તિ-પ્રેરિત પ્રતિક્રિયાત્મક કર્મ અબુદ્ધિપુર:સર થયેલાં હોય છે એને અર્થ એવો નથી કે, તેને આપણને કદી પણ ખ્યાલ હોતો નથી. માણસને “અહંકાર” અને સ્મૃતિના ગુણની પ્રાપ્તિ થયેલી હોવાથી કર્મને અબુદ્ધિપુર:સરને ગુણ બાલ્યાવસ્થાથી નષ્ટ થવા લાગે છે. પચનક્રિયાનું આપણને સ્પષ્ટ જ્ઞાન નથી હોતું, પણ અપચનનું પષ્ટ હોય છે. શ્વાસ પ્રત્યે લક્ષ આપતાં તેની કલ્પના – ખ્યાલ ઉત્પન્ન થાય છે. અન્ય કર્મ કરતી વખતે તેને ખ્યાલ નથી હોત, પણ શ્વાસોચસ બંધ થતાં જ તેને ખ્યાલ તીવ્ર બને છે. સહજ-પ્રવૃત્તિ આપણને વિશિષ્ટ કર્માની પ્રેરણા કરે છે, એ બાળપણથી જ આપણને સમજાતું જાય છે. પહેલી જ વાર માતાને સ્તન મુખમાં લેવામાં આવે છે તે વખતે ધાવવાને ઉદ્દેશ બાળકના મનમાં સ્પષ્ટ બનેલે નથી હોત, પણ કિંચિત કાળનું વહન થતાં શરીરધર્મના અંગે ધાવવાની પ્રેરણા થાય છે અને તે દૂધ પીવા લાગે છે. એ પછી એ કર્મ કરવાથી કિંવા રોકકળ કરવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org