________________
અબુદ્ધિપુરઃસર અને બુદ્ધિપુર સર કર્મ ૯૯ સાથે વાત કરતાં કે શરૂઆતમાં સભામાં જાહેર રીતે બોલતાં માણસ ગભરાય છે તેનું કારણ શું હશે? આવા પ્રસંગે બીકણ સ્વભાવ હેવાના કારણે ગભરાટ થાય છે એમ કંઈ નથી હતું. કેટલીક વખત માણસ નિરર્થક ગભરાય છે. કેઈક વખત એ પણ ભય હોય છે કે, મોટા માણસ સાથે વાત કરવામાં કંઈક ભૂલ થશે તે તેનો પિતાના માટેનો અભિપ્રાય બદલાશે અને આગળ પર નુકસાન થશે. તેવી જ રીતે સભામાં ભાષણ સારી રીતે નહિ થઈ શકે તે કીર્તિમાં ઊણપ આવવાને ભય હોય છે, તે પણ કહેવું જોઈએ કે કેટલીક વખત એવા ભયનું કારણ હોતું નથી. એ સહજ પ્રવૃત્તિ ઉપયોગી નહિ પણ સમાજને માટે અહિતકારક છે, છતાં પ્રભુએ તે કેમ નિર્માણ કરી હશે ? (હાલમાં જાહેરસભાઓમાં કેટલીક વખત જે વિલક્ષણ વ્યાખ્યાને સાંભળવામાં આવે છે, તેને વિચાર કરતાં કહેવું પડે છે કે સભામાં ભાષણ કરવાની હિંમત ઘણુઓમાં નથી હોતી એ પ્રભુનો ઉપકાર જ છે.)
(ઈ) એક સહજ પ્રવૃત્તિને બીજી (૧) સહજપ્રવૃત્તિ સાથે, (૨) મને વિકાર સાથે (૩) વિશિષ્ટ કર્મ કરવાના કિંવા ન કરવાના નિશ્ચય સાથે, અથવા (૪) વિશિષ્ટ ટેવ સાથે કઈ પ્રસંગે વિરોધ થાય છે, તે માણસની ઇન્દ્રિયોથી કંઈ જ કાર્ય બનતું નથી કિંવા તેમાંની પ્રબળતરા પ્રેરણાનું કાર્ય બને છે. દાખલા તરીકે, આરંભમાં લાગે છે કે પરકીય જન સાથે બોલવું નહિ, પણ સમાજપ્રિયતાના કારણે માણસ આગગાડીમાં અજાણ્યા સાથે સહજમાં વાતચિત શરૂ કરી દે છે. પુરુષને પોતાની સુંદર સ્ત્રી વિષે (અન્ય કારણથી નહિ હોય તો પણ સ્વભાવસિદ્ધ કામપ્રેરણાથી પણ) પ્રેમ થવો સ્વાભાવિક છે; પણ અસૂયા, ક્રોધ વગેરે મને વિકાર થતાં પ્રેમ ટકતો નથી; ઊલટું ઈ પ્રસંગે ખૂન થાય છે. કેરી દષ્ટિએ પડતાં તેને સ્વાદ લેવાની પ્રવૃત્તિ થાય છે, પણ એ આમ્રવૃક્ષને માલિક બીજો છે, એ વિચાર તે જ વખતે જાગૃત થઈ માણસનું મન પાછું પડે છે અને ઈચ્છાશક્તિ અથવા આત્મનિગ્રહ પ્રબળ હોય છે તે તે કેરીને સ્પર્શ પણ થતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org