________________
નીતિશાસ્ત્રાપ્રવેશ શક્તિવિકાસને આવશ્યક હોય છે. દષ્ટાંત તરીકે, કામપ્રેરણ, બાળકને પયપાન કરાવવાની માતાની ઈચ્છા, તેને સોડમાં લઈ સૂઈ જવાની વૃત્તિ, તેને હસાવવાની ધારણા, તેને બોલતાં ન આવડતું હોય તો પણ તેની સાથે વાત કરવાની પ્રવૃત્તિ વગેરે. (૩) કેટલીક જાતિરક્ષણ અને વિકાસને ઉપયોગી હોય છે. દાખલા તરીકે, અનયુક્ત પતરાળાં જઈને કાગડા કા, કા કરી મૂકે છે તે તેમની જાતિને માટે આવશ્યક હોય છે. માણસને પિતાના ઈષ્ટમિત્ર સાથે ભોજન કરવાની, તેને સહાય કરવાની અને તેને તરફથી પ્રસંશા પ્રાપ્ત કરવાની જે પ્રવૃત્તિ મળેલી છે, તે જાતિવિકાસને ઉપયોગી છે. (૪) કેટલીક પ્રવૃત્તિ જ્ઞાનની વૃદ્ધિ માટે ઉપયોગી હોય છે. દાખલા તરીકે, કઈ સ્થળે કંઈ નવીનતા કે અજાયબી જણાતાં તેનું સૂક્ષ્મ અવલોકન કરવાની કે તે જોવાની પ્રવૃત્તિ. નાનાં બાળક કાગળ વગેરે ફાડે છે તે આ જ પ્રવૃત્તિનું પરિણામ છે. તેના ઉપર આપણે ચિડાઈએ છીએ, પણ તેને કંઈ ઇલાજ મહેતા નથી. વળી ધ્યાનમાં રાખવું કે, તેમને માટે એ જ્ઞાન મેળવવાને એક માર્ગ છે.
આવી રીતે કેટલીક પ્રવૃત્તિને વિચાર કરી, તેના ઉપયોગીપણું વિષે અનુમાન કરી શકાય છે, પણ તે બધી જ ઉપયોગી છે એમ કહી શકાય તેમ નથી. દાખલા તરીકે, પતંગિયાને દીપક પર પડવાની મળેલી પ્રવૃત્તિથી શો લાભ છે, એ કહેવાનું કાર્ય કઠિન છે. લેહીને પ્રવાહ જોતાં આપણને ચક્કર આવે છે, વમન થાય છે અને ત્યાંથી ભાગી જવાની ઈચ્છા થાય છે, તેને કંઈ ઉપયોગ જણાતું નથી. (કદાચ, મારફાડ કરવી, ખૂન કરવું એ ખરાબ વસ્તુ હોવાથી તેને તિરસ્કાર ઉદ્ભવે અને જાતિરક્ષણ થાય એ ઉપગ હશે.) દર્પણમાં પ્રતિબિંબ જોઈને હાથ, પગ, મેં આદિ અંગ વાંકાચૂંકાં કરવાની પ્રવૃત્તિ થાય છે, તેને કંઈ પણ ઉદ્દેશ જણાતો નથી. (દાંતને છારી લાગેલી હોય તે તે બતાવવાનું કે વદનની કંઈક ખામીઓ દર્શાવવાનો ઉદ્દેશ તે નહિ હેય ને?) આગબોટમાં ઊલટી થાય છે, (સ્વચ્છ જગ્યામાં પણ) તેને જીવનરક્ષણને શો ઉપયોગ હશે એ સમજાતું નથી. અજાણ્યા માણસ સાથે, વિશેષતઃ મેટા અને પ્રખ્યાત ગણાયેલા માણસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org