________________
નીતિશાસ્ત્રપ્રવેશ કહેવાય છે; પરંતુ એ અસાધારણ પ્રકાર છે તેથી અહીં તેને વિચાર કરવાનું પ્રયોજન નથી.
(આ) ઉપર જણાવી તે ઈકિયધર્માત્મક સ્વાભાવિક બાબતની ક્રિયા આંતર રણાગત હોય છે, તેને બાહ્ય વાતની પ્રેરણા થતી નથી એમ કહ્યું; પણ કઈ કઈ ઈદ્રિયપ્રવૃત્તિ સાહજિક હોવા છતાં તે તે ઇકિયને બાહ્ય પદાર્થને સ્પર્શ, સંયોગ કે આઘાત થાય છે તે તે તરત જ ઉત્તેજિત થઈ જાય છે. શ્વસનક્રિયાને ‘હવા અને પાચનક્રિયાને “અન્ન એ બાહ્ય પદાર્થની અપેક્ષા રહે છે. આ દૃષ્ટિએ પાચનશ્વસનાદિ ઇકિયધર્માત્મક યાંત્રિક ક્રિયા પણ સંપૂર્ણ રીતે સ્વયંસિદ્ધ નથી. તેને બાહ્ય પદાર્થની અપેક્ષા છે. (ઈ) અંતઃસ્કૃર્ત ( Instinctive) કર્મ અને પ્રતિક્ષિપ્ત (Reflex) કર્મ એમાં ભેદ રાખવાની આવશ્યકતા છે. બીજા પ્રકારનાં કર્મ બાહ્ય સૃષ્ટિમાં વિશેષ સ્થિત્યંતર ઉત્પન્ન કરતાં નથી તેથી જે કંઈ ફેરફાર થાય છે તે શરીરમાં ને શરીરમાં થાય છે. દારૂને દીવાસળી ચાંપતાં જેમ એકદમ હેટ થાય છે, તેમ આપણી ઇન્દ્રિય પર વિશેષ પ્રકારની વસ્તુનો સ્પર્શ યા તે આઘાત થતાં જ જે વિશિષ્ટ અંતઃસ્કૂર્ત (Instinctive) પ્રતિક્રિયા એકદમ ઉત્પન્ન થાય છે, તેનાથી બાહ્ય સૃષ્ટિમાં સ્થિત્યંતર થાય છે. ધાવણા બાળકની નજરે માતાને સ્તન પડે છે કે તે સહજ-સ્કૂર્તિથી સ્તન મુખમાં લઈ ધાવવા માંડે છે. નાના બાળકને રસ્તામાં કૂતરું જણાય છે તે તે તેને પથરે મારવાની પ્રવૃત્તિ આદરે છે. આમલીની નીચે આવેલી ડાળી પર બાળક આમલીના કાતરા ખૂલતા જુએ છે તે તે સ્વાભાવિક રીતે જ તેને તેડી લઈ મુખમાં નાખવાની પ્રવૃત્તિ કરે છે. આ ઉપરથી જણાશે કે, સહજ પ્રવૃત્તિથી બનેલા આ પ્રતિક્રિયાત્મક અથવા પ્રતિફલિત કર્મથી બાહ્ય સૃષ્ટિમાં ફેરફાર થાય છે, તે કર્મને આદિ અને અંત શરીરમાં ને શરીરમાં આવતો નથી. શ્વસનથી બાહ્ય સૃષ્ટિને કારબન વાયુ વધે છે અને ઓકિસજન ઓછો થાય છે, એ દૃષ્ટિએ અંતઃસ્કૃત કર્મને પણ બાહ્યસૃષ્ટિ સાથે સંબંધ થાય છે; તો પણ એ ફરક વિશેષ ધ્યાનમાં આવે તે નહિ હોવાથી એ બે વર્ગ સામાન્યતઃ ભિન્ન છે એમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org