________________
નીતિશાસ્ત્રપ્રવેશ તેને આત્મપ્રત્યય વૃદ્ધિગત થાય છે. એકંદરે તાત્પર્ય એ છે કે, નૈતિક વિધિનિષેધનું એટલે નીતિતત્ત્વનું રહસ્ય પ્રત્યેકને સમજાતું નથી; પણ તે વિશિષ્ટ પદવીને નીતિવિકાસ જેમને પ્રાપ્ત થયો હોય છે, તેમને જ સમજાય છે અને ચે છે.
આપણું વેદાંતશાસ્ત્રમાં, “શમદમાદિ પ-સાધનસંપત્તિ જેની પાસે છે, જેનામાં ઈહ–અમૂત્ર-ફલોગ-વિરાગ ઉત્પન્ન થયેલે છે, તે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાને અધિકારી છે” વગેરે પ્રકારનું જે વર્ણન છે, તે અતિ માર્મિક છે. બ્રહ્મજ્ઞાન વિષયાસક્તને ચે તેમ નથી, એટલું જ નહિ પણ તે તેમાં રહેલી મેજ પણ જાણી શકો નથી. નામમાં પ્રવેવન ખ્યઃ એ ઉપનિષદવચનમાં આત્મજ્ઞાન વિદત્તાના બળથી જીતી લેવાય તેવું નથી, કિંવા વસ્તૃત્વના મોહથી વશ કરી શકાય તેમ નથી; પણ તે નૈતિક કિંવા ધાર્મિક આચાર પાળવાથી છેવટે હદયમાં આપોઆપ પુરે છે, એ જ તત્ત્વ માત્ર કહેલું છે કે શું?
બ્રહ્મજ્ઞાન કિંવા આત્મજ્ઞાન તે શું પણ વિદ્વત્તાનેય નીતિમત્તાના ટેકાની જરૂર પડે છે. આત્મનિયમન કર્યા વિના કયા શાસ્ત્રમાં નિપુણતા મેળવી શકાય તેમ છે? શરૂઆતમાં લાગે છે કે, જ્યોતિષશાસ્ત્ર કે રસાયનશાસ્ત્રના અભ્યાસ કરનારને નીતિમત્તાની જરૂર નથી; પણ એ શાસ્ત્રમાંયે નૈપુણ્ય મેળવવાને ઘણા વિષયભોગ પર પાણી મૂકવું પડે તેમ છે. કલાકના કલાક પ્રયોગશાળામાં પસાર કરવા, રાતેની રાતે આકાશના તારાના ફોટા લેવામાં ગાળવી, એના માટે પણ ઈદ્રિયનિગ્રહની આવશ્યકતા રહે છે. વિવિધ ભાષાને તુલનાત્મક અધ્યયન, ઇતિહાસ સંશોધન, પુરાણવસ્તુસંશોધન વગેરે કરવામાં જેમણે કીતિ મેળવેલી છે, તેમને પણ વિશિષ્ટ પ્રકારના સુખભેગને શાસ્ત્રાધ્યયનાથે તુ માનવાની જરૂર પડી છે અને તેવા પ્રકારનું આત્મનિયમન કરવાની તેમનામાં શક્તિ હોવી જ જોઈએ.
(ઈ) “સમજાય છે પણ થતું નથી” એ સાદા પણ મહાન માર્મિક વાક્યમાં જે એક મહત્ત્વનું તત્વ રહેલું છે, તેનો અત્રે ઉલ્લેખ કરવાની આવશ્યકતા છે. ઘણી વખત આપણને સમજાય છે કે, અમુક સારું છે અને અમુક ખોટું છેપણ તે પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org