________________
સાધુત્વ, સૌંદય અને સત્ય
૮૫
-
ધ્યાનમાં રાખવા જેવી છે. કેટલાંક પાપ સુસંસ્કૃત માણસને નીતિદષ્ટિએ ગણીય જ નહિ પણ તિરસ્કારમય અને ગલીચ તથા કંટાળાભર્યાં લાગે છે, તેના નામસ્મરણથી પણ ઊલટી થાય છે અને ઉચ્ચાર કરતાં જીભ અટકી પડે છે. બીજી બાજી, અસાધારણ સદાચારનું, ઉદાત્ત પરાક્રમનું, ઉચ્ચ સ્વાત્યાગનું વર્ણન — તદ્દન સાદું, અલ કારરહિત એવું વર્ણન — કાવ્યની માર્કેક કેટલીક વખત સાત્તિ કરી શકે છે. બાળકને રમાડતી માતા કુરૂપ હે, ગરીબ હૈ!, ગમે તેવી હૈ!; પણ તે સાત્ત્વિક દેખાવ રસિક ને રમણીય લાગે છે; ત્યારે વેશ્યા ગમે તેટલી સુસ્વરૂપ હાય છે, તથા ગમે તેવે ચાતુ પૂર્ણ વાર્તાલાપ અને મેહક અંગવિક્ષેપ કરતી ડાય છે, તાપણું તે તિરસ્કારજન્ય લાગે છે.
હા, એટલું કબૂલ કરવું જો એ કે, સૌંદય અને સાધુતાનું આ સખ્યત્વે સર્વાંગી કે સર્વવ્યાપી નથી. નાટકના મુખ્ય ગવૈયા દારૂડિયા હોય છે તેથી કંઈ તેનું ગાન ક કટું બનતું નથી. પાપી પુરુષની એટલી દુર્ગંધ આવતી નથી કે તેના હાથનાં અંજીર પ દુધમય લાગે, કાઈ સ્ત્રીના દ્વેષ એટલે જાજવલ્યમાન હાય છે કે, તે પેાતાના સાવકા પુત્રના ગુણ પણ જોઈ શકતી નથી; કિવા કામાંધને જેમ કુટુંબની આબરૂ, દેશાભિમાન વગેરે કઈ દેખાતું નથી, તેમ સજ્જનને દુરાચારી પુરુષમાં કિવા સ્ત્રીમાં સૌદર્યાદિ ગ્રુ જણાતા નથી એમ નથી હેતું; પર ંતુ દુરાચારની અવધતી ગંધમાત્ર સાધારણ સુસંસ્કૃત માણસને અસદ્ય લાગે છે અને એ ગંધથી દુરાચારી માણસના સૌંદર્યાદિ ગુણુ પણ વિશેષ રસેત્પત્તિ
કરી શકતા નથી.
કીર્તિને સુવાસની ઉપમા અપાય છે તેમ સદાચારને પણ એ ઉપમા આપવામાં હરકત નથી. સદાચારનું ચિંતન સાત્ત્વિક આનંદ આપે છે. વિભૂતિનાં પરાક્રમ સ્ફૂર્તિદાયક હોય છે અને કાવ્યને જન્મ આપે છે. સદાચારથી સૌંદર્યની માહકતા વધે છે. જેમ કારીગરે બનાવેલી સુંદર મૂર્તિ દેવળમાં યથાવિધિ પ્રતિષ્ઠા પામ્યા પછી અધિક જ મધુર અને વંદ્ય બને છે; તેમ જ સૌંદય સાવૃત્તિના સહવાસથી અધિક જ સુંદર દેખાય છે. આપણે એવી કલ્પના કરીએ કે, મે બહેને સૌÖમાં સમાન છે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org