________________
૮૨
નીતિશાસ્ત્રપ્રવેશ સુવર્ણના ઢગના દેહને તે બેમાંથી કોઈયે વશ થયું નહિ. ત્યારે શું એક અર્થે તે પાપ-પ્રવીણ સંસારી માણસની વિશેષ પ્રશંસા કરવી ન જોઈએ કે ? ઇદ્રિયદમન ઘણાં વર્ષોથી કરતા આવ્યાના કારણે ઋષિની પ્રશંસા કરવી જ જોઈએ અને સંસારી માણસ એકસરખે મોહને ભોગ થતે આવ્યાથી તે દૂષાર્ડ મનાવે જોઈએ. નીતિદષ્ટિએ ઋષિ શ્રેષ્ઠ છે, કારણ આત્મનિગ્રહ કરવાની તેમણે ટેવ પાડી લીધી છે. પણ એ સારી ટેવ પડ્યાથી જ સુવર્ણને મેહ તેડી નાખવાનું તેમને સુલભ થયેલું હોવાથી તે બાબતમાં અને તેટલા પૂરતી તેમની વિશેષ પ્રશંસા થશે નહિ; પરંતુ પેલા સંસારીને માટે મોહપાશ છેદવાનું અતિ કઠિન છે, છતાં તેણે તે તેથો, માટે તેની જ તે બાબતમાં વિશેષ પ્રશંસા કરવી જોઈએ. સાતમી ચોપડીને વિદ્યાર્થી ચોથી ચોપડીના વિદ્યાર્થીના સે માર્કના દાખલા ગણું આપે, તે તેની કોઈ પ્રશંસા કરે નહિ પણ ચોથીને વિદ્યાર્થી પરીક્ષામાં ૯૦ માર્ક મેળવે, તે તેને અને તેના માસ્તરને ધન્યતા લાગે. એનું મૂળ કારણ એવા જ પ્રકારનું છે. સાતમી પડીના વિદ્યાર્થીનું જ્ઞાન વિશેષ હોય અને કોઈને કારકૂનની જરૂર હોય તે તે ઉભયમાંથી સાતમીવાળાને જ પસંદ કરે; પણ ચોથના વિદ્યાથીની બુદ્ધિ વિશેષ છે એ તે કબૂલ કરવું જ પડશે. આ પ્રમાણે જ ઋષિની નૈતિક એગ્યતા મેટી અને તેમને અધિકાર વિશેષ છે; પણ વિશિષ્ટ મેહને પ્રતિકાર કરવાની બાબતમાં પૂર્વે અનેક વખત પાપને ભોગ થઈ પડેલા સંસારી માણસની અધિક તારીફ થાય એ સ્વાભાવિક છે. ષિને નૈતિક અધિકાર શ્રેષ્ઠ અને અધિક પૂજનીય છે; પણ સંસારી માણસની નૈતિક પાયરી ઊતરતા દરજજાની હોય તે પણ તેનું વિશેષ કૌતુક થાય એ માનવસ્વભાવને અનુસરતું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org