________________
નૈતિક દૃષ્ટિએ સારું નરસું તેને કહેવું ?
પ્રથમ દર્શને એવું લાગે છે કે, જમાઈ ને આપેલા હારને સુવાસ અન્યને આનુષગિકપણે પ્રાપ્ત કરાવવાનું શ્રેય કતને નથી; પણ શત્રુના ઘરમાં બાળી દેવામાં આવેલા અતિથિના મૃત્યુનું પાપ તેના માથે છે. એ ભેદ કયા તત્ત્વ પર કરવામાં આવે છે તેને વિચાર કરતાં બરાબર ખુલાસે મળતું નથી. આનુષંગિકપણે આપેલા દુઃખ માટે માણસ જે જવાબદાર ગણાય, તો તેવી જ રીતે રાપેલા સુખનું શ્રેય ન્યાયની રીતે તેને આપવું જ જોઈએ.
આમાં ખરી વાત એવી છે કે, મૂળ પ્રશ્ન જ પ્રથમ તો ભૂલભર્યો છે. ઔષધિના ચૂર્ણમાં જેમ અનેક દ્રવ્ય હોય છે અને એક દ્રવ્યને ગુણ પાચક, બીજાને રેચક ત્રીજાને પુષ્ટિવર્ધક એવું જેમ ઠરાવી શકાય છે, તેમ “બુદ્ધિના જુદાં જુદાં અંગેનું પૃથક્કરણ કરી તેના ગુણદોષ ઠરાવવા એ જ ભૂલ છે. શરીર અને પેટ જુદાં જુદાં હોય તો પણ શરીર વિના ખરું પેટ નથી અને પટ વિના ખરું શરીર પણ નથી; એ જ ન્યાયે માનસિક બાબત પ્રતિ જોઈએ તે બુદ્ધિનાં ભિન્ન ભિન્ન અંગની કલ્પના જેકે ભૂલભરી નહિ હેય; પણ એ અંગ એટલે સ્વતંત્ર વસ્તુ છે, તેનું અસ્તિત્વ સ્વતંત્ર હશે અને તેના ગુણદોષ ઠરાવી શકાશે એ કલ્પના ભ્રમમૂલક છે એમ જ જણાશે. નૈતિક મૂલ્ય ઠરાવવાનું હોય તે તે સવગવિશિષ્ટ બુદ્ધિનું ઠરાવવાનું છે. તેનાં અનેક અંગનું સ્વતંત્ર અસ્તિત્વ નથી અને તેની સ્વતંત્ર કિંમત આંકવાનો પ્રયત્ન ભૂલભર્યો છે. જમાઈ ને હારતેરા અને અત્તર આપવાં એ વસ્તુતઃ ખરી બુદ્ધિ નથી. ખરી બુદ્ધિ તે “જમાઈને હારતોરા અને અત્તર આપી તેના યોગે અન્યને જે આનંદ થાય તે જોવે, તે માટે જે ખરચ થાય તે ઉઠાવો' ઇત્યાદિ પ્રકારની છે. તેવી જ રીતે શત્રુનું ઘર બાળવું એ ખરી બુદ્ધિ નથી. ખરી બુદ્ધિ “ઘર બાળવું; તેથી તેનાં બાળબચ્ચાં મરણ પામે, ઘરનાં અન્ય માણસ મરણ પામે તો પણ વાંધો નહિ; માલમત્તા બળી જાય તો મઝા જ આવે; પડોશીનું ઘર બળવા માંડે તે પણ કંઈ નહિ; મનને હેતુ ખુલ્લો ન પડે તે માટે ગમે તેવું ગુપ્ત મારવું; એવા પ્રકારની છે. ચિત્તની મોહકતા કે સદોષતા ચિત્તના અમુક ભાગમાં આટલી અને આવા પ્રકારની છે એમ ગણિતશાસ્ત્રથી ઠરાવવા ઈચ્છવું એ મૂર્ખાઈ છે; તેવું જ “બુદ્ધિનાં”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org