SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ નૈતિક દષ્ટએ સારું નમું કોને કહેવું? ૭૭ પણ આપણને ઘણિત લાગે છે અને તેની સમક્ષ કિંવા તેની પાછળ પણ નિર્ભસના કરીએ છીએ, તેનું મૂળ કારણ એ છે કે એ રોગ વિશેષતઃ તિક દુરાચાર વિના થતા નથી એમ આપણે માનીએ છીએ; પરંતુ તાવ વગેરે રોગ કે ઈ માણસની પાછળ પડે છે તે તેની આપણને દયા આવે છે; આપણે તેને દેવ આપતા નથી. નિદ્રા, સ્વનિ, તાવ વગેરે આપણું હાથમાં નથી, પરંતુ આપણા હાથથી બનેલી તથા બુદ્ધિપુર:સર થયેલી વાત માટે પણ આપણે કેટલીક વાર આપણને જવાબદાર ગણતા નથી. દાખલા તરીકે : ધારે કે દાક્તરે કહેલું અમુક એક પધ રોગીને આપવું કે ન આપવું તે મારા હાથની વાત છે; તે મેં એક જણને યોગ્ય વિચાર કરી આપ્યું અને તે માણસ તેનાથી મરી ગયે; તે પણ તેના મરણ માટે નીતિદષ્ટિએ હું જોખમદાર નથી. જોખમદાર હોય તો તે દાક્તર છે. એકાદ વિશિષ્ટ હેતુ રાખીને જ્યારે એકાદ વાત કરવામાં આવે છે, ત્યારે હેતુ માટે જ તે માણસ નૈતિક વિશેષણને પાત્ર બને છે. કર્મની પાછળ જે હેતુ કે જેવી બુદ્ધિ હોય છે, તેવો રંગ તેને ચડે છે. એક સુભાષિતમાં કહ્યા પ્રમાણે, પત્નીને આલિંગન આપવામાં અને કન્યાને આલિંગન આપવામાં જે ભેદ છે, તે બાહ્ય કર્મ પર વિશેષતઃ અવલંબીને નહિ, પણ મનની ભાવના પર અવલંબીને છે. मनःकृतं कृतं राम न शरीरकृतं कृतम् । येनैवालिंगिता कान्ता तेनेवालिंगिता सुता ॥ ૩. કોઈ એક વખત મનમાં ધારેલી દુષ્ટ બુદ્ધિ કર્મનું સ્વરૂપ પામે નહિ તે પણ તે નૈતિક દૃષ્ટિએ ગહણીય જ કરે છે. તેવી જ રીતે એકાદ પ્રસંગે બુદ્ધિથી કરેલું કર્મ અનિષ્ટ ફલદાયક બને છે. તે પણ તે માણસને આપણે દેશ દેતા નથી. આ ઉપરથી પાપ કે પુણ્ય, દેષ કે ગુણ, કર્તાના શારીરિક કર્મ પર અવલંબિત નથી; પણ કર્તાએ જે બુદ્ધિથી તે કામ કર્યું હોય છે કિંવા તે કર્મ બન્યું નથી હોતું તે તે કરવાના ઇરાદે હોય છે તે પર અવલંબી રહેલ છે એમ સિદ્ધ થાય છે. પણ બુદ્ધિ અને હેતુનો શો અર્થ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy