________________
નીતિશાસ્ત્રપ્રવેશ દુષ્ટ કરતી નથી; કિંવા આગગાડી ચાલુ થઈ ગઈ હોય પણ કેદ વિપત્તિમાં આવી પડેલા માણસને ગાર્ડની ઓળખાણને લાભથી આગગાડીને અટકાવી તેમાં બેસવાની તક મળી જાય તે તેનું શ્રેય કંઈ એન્જિનને મળતું નથી. પાપપુણ્ય જે લાગતું હોય તે. તે ગાડને લાગે! નદીની રેલમાં માણસ તણાઈ ગયા પછી તે કોઈને દેવ આપવો હોય, તો તે પૂરમાં કૂદકો મારનાર અવિચારી માણસને આપવો જોઈએ અથવા તેને દેલ ન હોય તે પૂર વગેરે ચરાચર સર્વ બાબતનું કર્તુત્વ જેના તરફ હોવાનું આપણે માનીએ છીએ, તે સર્વશક્તિમાન ઈશ્વરને આપવો જોઈએ. આપણે વિશિષ્ટ ભાવનાથી પ્રેરાઈને સૂર્યોદયની, સુર્યાસ્તની, તારાગણ વગેરેની સ્તુતિ કરીએ છીએ, પૂજન પણ કરીએ છીએ, પરંતુ તે વખતે સૂર્યાદિ દેવની પૂજા કરીએ છીએ; જડ સૂર્યના ગોળાની કે અન્ય જડ ગેળાની નહિ. એ દેવો કાલ્પનિક હશે, પણ આપણે જે પૂજા કરીએ છીએ તે જડ ગોળાની નહિ, અરે, ભલેને તે કાલ્પનિક હોય, પણ અહંભાવવિશિષ્ટ એવા દેવની પૂજા કરીએ છીએ. વરસાદથી પલળી જવાય માટે વરસાદની નિંદા કરવી એ યોગ્ય નથી; તેના યોગથી ધાન્યનો પાક સારો નીપજે તો તેને સ્તુતિ કરવી તે પણ અયોગ્ય જ છે. થાંભલા સાથે માથું અકળાય છે તો નાનાં બાળકે થાંભલાને લાકડી ઝાપટે છે. પણ તે નાનાં બાળકને જ શોભે; અને અહીં પણ એ ધ્યાનમાં રાખવા જેવું છે કે, બાળક લાકડી ઝાપટે છે તે, તે જીવત છે અને પિતાને ખાસ ત્રાસ આપે છે એમ સમજીને જ.
૨. સ્તુતિનિંદાત્મક નૈતિક વિશેષણોને અહંભાવવિશિષ્ટ બુદ્ધિ જેમાં છે એવા દેવમનુષ્યાદિક જ પાત્ર છે, એમ આ ઉપરથી ઠયું છે, પરંતુ તેની પણ પ્રત્યેક બાબત નૈતિક વિશેષણને પાત્ર છે એમ સમજવાનું નથી. દાખલા તરીકે: કોઈ માણસ નિદ્રામાં બડબડે છે કિંવા ઘોરે છે તેથી આપણે તેની મજાક કરીએ છીએ; પણ તેને એવા દોષ માટે નૈતિક દૃષ્ટિએ જવાબદાર ગણીશું નહિ. કોઈની સારી પ્રકૃતિ માટે આપણે તેનું વખાણ કરીએ છીએ, તેનું કારણ એ હોય છે કે પ્રકૃતિ સારી રાખવાનું ઘણા અંશે આપણે પોતાના હાથમાં છે એવી આપણું સમજ છે. ગરમીના રેગવાળો નૈતિકદષ્ટિએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org