SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્રના અન્ય શાસ્ત્રો સાથે સબંધ 13 કઈ સશય ઉત્પન્ન થાય છે તે બધા ‘મન' નામધારી વિષ્ઠ અદાલત આંગળ વિવાદ રજૂ કરે છે. માટે એ ષ્ટિએ પણ ‘મન’ એટલે શું, તેનાં અંગ કયાં વગેરે વિષયને ઊહાપોહ કરનારું માનસશાસ્ત્ર નીતિશાસ્ત્રને જરૂરનું છે. ૧. નીતિમત્તા બુદ્ધિ અથવા વૃત્તિના એક વિશિષ્ટ ધમ છે, એટલે નીતિ-અનીતિદર્શક વિશેષણે બુદ્ધિ અથવા વૃત્તિને જ લાગે છે, કમને નહિ; અને ૨. એ વિશેષણનું ઔચિત્ય અનૌચિત્ય, ‘મન’રૂપી વરિષ્ઠ અદાલત ઠરાવે છે. એ એ વાતને વિયાર થશે તે ધ્યાનમાં આવશે, કે પ્રત્યેક નીતિવિષયક પ્રશ્ન માનસશાસ્ત્રને પણ છે. મનુષ્યનાં સ ક સકામ કિવા સહેતુક હાય છે કે કેમ, તેના હસ્તે અનિચ્છાએ કાંતે અકામતઃ કાઈ કર્મી થાય છે કે શું, સસવિવેકબુદ્ધિ જુદુ કહે છે ત્યારે ચંચલ અને દુર્નિગ્રહ મન તેને બીજી તરફ કેવી રીતે ખેંચી જાય છે, કેટલાંક ક ઇંદ્રિયના ગુણધમ થી આપોઆપ બને છે કે રચું, સહેતુ અને અસšતુનું સદસત્ત્વ ઠરાવવાની કસોટી કાલભેદથી બદલાય છે કે શું, ‘સત્’ એટલે ‘સુખકર’એમ જ સમજવું કે કેમ, ‘પ્રેય’ અને શ્રેય’ વચ્ચેતે ભેદ કયા કારણથી ઉત્પન્ન થાય છે, વગેરે માનસશાસ્ત્રના પ્રશ્ન નીતિશાસ્ત્રમાં પણ આવે છે. આવી રીતે જો કે એ એ શાસ્ત્ર સલગ્ન છે, તાપણ તેમની ષ્ટિ ભિન્ન હાય છે, એ નીચેના વિવેચન પરથી સમજાશે. કાઈ એક કર્મીનું ‘કારણ' શું અને તેનું ‘ઔચિત્ય’ કેટલું, એ એ જુદા જુદા પ્રશ્ન છે. કારણની મીમાંસા કરનારા કસાઈની માક - અથવા ભલે રસાયનશાસ્ત્રજ્ઞની માફક કહા — કમ નું પૃથક્કરણ કરે છે. તે વખતે તેનામાં દયા જેવું કંઈ હેાતું નથી; અમુક ઉચ્ચ છે કે નીચ તે તે જોતા નથી. એકને ગરમી કેમ થઈ અને ખીજાએ દેશ કે ધમ માટે સ્વાર્થાત્યાગ ક્રમ કર્યો, એ બન્નેને! પ્રશ્ન તે એકસરખી રીતે નિર્વિકાર દષ્ટિએ ઉકેલવાના યત્ન કરે છે. ખાટલી માટે વાંસ વેચનારા મૃત માણસની ચેોગ્યતા કેટલી હતી, તેને બાળબચ્ચાં છે કે નહિ તે જોતે! નથી; પણ તેની ઊઁચાઈ કેટલી, વજન કેટલું. વય કેટલી વગેરે વાતે જુએ છે અને તે પ્રમાણે નાના મેટા ત્રાંસ કાઢી આપે છે. એ જ ન્યાયે માનસશાસ્ત્રવેત્તા લેકાના નૈતિક વિચારની પેાતાની વિશિષ્ટ દષ્ટિથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy