________________
નીતિશાસ્ત્ર પ્રવેશ કંઈ થતું નથી. ખરી વાત એ છે કે, અર્થશાસ્ત્ર એટલું જ કહે છે કે, “જે પૈસા મેળવવા હોય તે પિતાને વ્યવહાર કેવી રીતે થાય છે તે મારી પાસેથી શીખે.” “હંમેશાં મારી જ વાત સાંભળો', એમ તે કદી પણ કહેતું નથી. જે વખતે “અર્થ પુરુષાર્થની જરૂર જણાય, તે વખતે મારું સાંભળો, અન્ય પુરુષાર્થ વિષે મારે કંઈ કહેવું નથી, એમ તે ઉદાર દિલે કબૂલે છે. તે એવા નિત્ય અને નિરપેક્ષ સ્વરૂપનું નથી, કે સદા સર્વદા તેનું શાસન માન્ય કરવું જ જોઈએ. તે તે નૈમિત્તિક, સાપેક્ષ અને વૈકલ્પિક સ્વરૂપવાળું છે. અર્થ ચાર પુરુષાર્થ પિકી એક પુરુષાર્થ છે. અર્થપ્રાપ્તિ એટલે માલ નથી, એ ધ્યાનમાં રાખવામાં આવશે, તે મારું સાર્થક થશે એમ સાચું અર્થશાસ્ત્ર કહે છે; પરંતુ એ તત્ત્વ કેટલાકોએ ધ્યાનમાં નહિ રાખ્યાથી જ અર્થશાસ્ત્રને અનર્થશાસ્ત્રત્વ પ્રાપ્ત થયું છે ! અર્થાત એ કંઈ શાસ્ત્રના દેવ નથી, પણ લેકીને છે. અથ પ્રાપ્તિનું કયાં કેટલું મહત્વ છે, પ્રેમની વિનવણ ક્યારે સાંભળવી અને ધનલાભની ક્યારે સાંભળવી, સ્વદેશ માટે સ્વ-અર્થત્યાગ ક્યારે કરે વગેરે વાતો નીતિશાસ્ત્ર પરથી શીખી લઈ અર્થશાસ્ત્રનો જે લેકે ઉપયોગ કરે, તે એ બને શાસ્ત્ર કેને ઉપયોગી થાય. વ્યવહારજ્ઞાન અને પ્રેમ એ બંનેની જેમ માણસજાતને આવશ્યકતા છે, તેમજ એ બે શાસ્ત્રોનું સમજવું. વ્યવહારદૃષ્ટિને અતિરેક થાય, તે પ્રેમને એક ખૂણામાં અબુ સારવાં પડે; પ્રેમ જે વ્યવહાર તરફ દુર્લક્ષ કરે, તે તેને તરત જ ખાડામાં પડવું પડે. નીતિશાસ્ત્રની લગામ વગરનું અર્થશાસ્ત્ર કોને કઠેર, અરસિક, ક્રૂર, ખૂની, આપમતલબી બનાવી દે, અર્થશાસ્ત્રનાં ચક્ષુ વગરનું નીતિશાસ્ત્ર પ્રથમથી જ લગભગ અંધત્વ પામેલા પ્રેમને પૂર્ણ અંધ બનાવી દે અને ભૂતદયા ભળતા સ્થળે અને ભળતા સમયે જન્મ પામી, કેને સહાયક બનવાને બદલે એંસી હાથના કોતરમાં જ ફગાવી દે. અર્થાત જગતને વ્યવહાર એકથી અધિક અર્થમાં “અર્થશન્ય બનાવી દે!
નીતિશાસ્ત્ર અને માનસશાસ્ત્ર નીતિશાસ્ત્ર જુદાં જુદાં કર્મની ઓછીવત્તી શ્રેયસ્કરતા નિશ્ચિત કરે છે. એ ઓછીવત્ત શ્રેયસ્કરતા કર્મ જે બુદ્ધિથી પ્રેરિત થયેલું હોય તે પરથી નક્કી થાય છે. બુદ્ધિ બુદ્ધિ વચ્ચેનો સુક્ષ્મ ભેદ યથાર્થ રીતે સમજવા માટે માનસશાસ્ત્રની માહિતી આવશ્યક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org