SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીશી: ૨૪ ૮૯ લૂંટાય તેમ નદીકિનારે લાજ લૂંટતાં વાર લાગતી નથી. કુળવંતી સ્ત્રીને એ પરવડે નહિ માટે નદીકિનારે નહાવા-ધોવા જવાની છૂટ સારી નથી. સંયોગવશ જો જવું પડતું હોય તો લાજ જળવાય એ પ્રમાણે પૂરતી તકેદારી આવશ્યક પૂર્વની કડીમાં કહ્યું છે તે સાથે જો આ કડીનો સંબંધ જોડીને આ શિખામણો વિચારીએ તો પતિ પરદેશ ગયેલ હોય ત્યારે શણગાર સજવા, નાતમાં જમવા જવું, દુર્જનના સંગમાં મુકાવું પડે એવી રીતો સેવવી, પારકી શેરીમાં ગરબા ગાવા જવું, મેળા-ખેલામાં હરવું ફરવું અને નદીકિનારે નહાવાધોવા જવું એટલાં વાનાં જરૂર ન કરવાં. જો એથી ન બચાય તો સમજવું કે પોતે પણ બચી શકશે નહિ; કારણ કે સંયોગવશ ઉપરના કોઈ કાર્યમાં ફસાઈ પડાય તો બચાવનાર સ્વામી અહીં નથી – પરદેશ ગયા છે એટલે બચાવે કોણ? માટે બચવાની ઈચ્છા હોય તો ઉપરના પ્રસંગોથી પર રહેવા પૂરી સાવચેતી સેવવી. આ છ શિખામણોને જીવનમાં ઉતારતી સ્ત્રી ઘણાં અનિષ્ટોથી બચી જાય છે. સ્ત્રીને કે પુરુષને પાડનાર કે ચડાવનાર સંયોગો છે. સંયોગવશ આત્મા આગળ વધે છે અને પાછો પડે છે, એટલે પડવાના સંયોગો ન સેવવા અને ચડવાના સંયોગો સેવવા એ શ્રેયસ્કર છે. ચોવીસમી કડીમાં સદાચારનું રક્ષણ અને ગૃહસ્થાશ્રમની અનુકૂલતાને અનુરૂપ ચાર શિખામણો આપે છે – ૨૪ ઊપડતે પગે ચાલ ચાલીજે હુન્નર સહુ શીખીએજી; સ્નાન સુવચ્ચે રસોઈ કરીને, દાન સુપાત્રે દીજે. ૨૪ સુણજો સજ્જન રે, ૧ – ઊપડતે પગે ચાલવું. ૨ – બધા હુન્નર શીખવા. ૩ - રસોઈ સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને કરવી. ૪ – સુપાત્રે દાન દેવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy