________________
છત્રીશી: ૨૪
૮૯
લૂંટાય તેમ નદીકિનારે લાજ લૂંટતાં વાર લાગતી નથી. કુળવંતી સ્ત્રીને એ પરવડે નહિ માટે નદીકિનારે નહાવા-ધોવા જવાની છૂટ સારી નથી. સંયોગવશ જો જવું પડતું હોય તો લાજ જળવાય એ પ્રમાણે પૂરતી તકેદારી આવશ્યક
પૂર્વની કડીમાં કહ્યું છે તે સાથે જો આ કડીનો સંબંધ જોડીને આ શિખામણો વિચારીએ તો પતિ પરદેશ ગયેલ હોય ત્યારે શણગાર સજવા, નાતમાં જમવા જવું, દુર્જનના સંગમાં મુકાવું પડે એવી રીતો સેવવી, પારકી શેરીમાં ગરબા ગાવા જવું, મેળા-ખેલામાં હરવું ફરવું અને નદીકિનારે નહાવાધોવા જવું એટલાં વાનાં જરૂર ન કરવાં. જો એથી ન બચાય તો સમજવું કે પોતે પણ બચી શકશે નહિ; કારણ કે સંયોગવશ ઉપરના કોઈ કાર્યમાં ફસાઈ પડાય તો બચાવનાર સ્વામી અહીં નથી – પરદેશ ગયા છે એટલે બચાવે કોણ? માટે બચવાની ઈચ્છા હોય તો ઉપરના પ્રસંગોથી પર રહેવા પૂરી સાવચેતી સેવવી.
આ છ શિખામણોને જીવનમાં ઉતારતી સ્ત્રી ઘણાં અનિષ્ટોથી બચી જાય છે. સ્ત્રીને કે પુરુષને પાડનાર કે ચડાવનાર સંયોગો છે. સંયોગવશ આત્મા આગળ વધે છે અને પાછો પડે છે, એટલે પડવાના સંયોગો ન સેવવા અને ચડવાના સંયોગો સેવવા એ શ્રેયસ્કર છે.
ચોવીસમી કડીમાં સદાચારનું રક્ષણ અને ગૃહસ્થાશ્રમની અનુકૂલતાને અનુરૂપ ચાર શિખામણો આપે છે –
૨૪
ઊપડતે પગે ચાલ ચાલીજે હુન્નર સહુ શીખીએજી; સ્નાન સુવચ્ચે રસોઈ કરીને, દાન સુપાત્રે દીજે. ૨૪
સુણજો સજ્જન રે, ૧ – ઊપડતે પગે ચાલવું. ૨ – બધા હુન્નર શીખવા. ૩ - રસોઈ સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને કરવી. ૪ – સુપાત્રે દાન દેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org