________________
O
હિતશિક્ષા
[૧૪]. ઊપડતે પગે ચાલવું – કેટલીક સ્ત્રીઓને રસ્તે ચાલતાં ચાલતાં આડુંઅવળું જોવાની અને તે કારણે ધીરે ધીરે ચાલવાની આદત પડી ગઈ હોય છે. પણ તે આદત સારી નથી. તેથી તેના સદાચાર જોખમમાં આવી પડે. છે. માર્ગનું બરાબર ધ્યાન રાખીને માર્ગ પર દૃષ્ટિ કરતાં જીવની રક્ષાપૂર્વક ઉતાવળે પગે ચાલવાની ટેવ રાખવી જોઈએ. તેથી પોતાને જે સ્થળે જવું છે તે સ્થળે જલદી પહોંચી જવાય છે. એ રીતે ચાલવાની ચાલમાં ખમીર જોર કરતું હોય છે એટલે કોઈને કાંઈ છેડતી કરવાનું મન થતું નથી ને થાય તો પણ તેવા પ્રકારની ચાલ જોઈને જ સામો ઠંડો પડી જાય છે. બાકી વેંદીપેંદી ચાલે ચાલનારી સ્ત્રીને જોઈને સૂતેલા કૂતરાને પણ ભસવાનું મન થઈ આવે છે.
ગતિની મંદતાથી મનમાં મંદતા આવે છે ને મનની મંદતા જીવનને મંદ બનાવે છે. મંદ અને માયકાંગલા જીવનની કાંઈ કિંમત નથી. પછી એવા મંદ જીવનવાળી સ્ત્રી ગરીબ કી જોરુ સબકી ભાભની સ્થિતિમાં આવી પડે છે. શરૂ શરૂમાં કેટલાકની છેડતી આકરી લાગતી હોય છે પણ જો દાડે એ સદી જાય છે અને એ રીતે જીવન ચૂંથાઈ જાય છે. બીજી બાજુ સ્કૂર્તિવાળી ગતિથી ચાલનારી સ્ત્રીનો રૂઆબ પડે છે, તેથી તેને ઘણા ફાયદા થાય છે; માટે મંદ ગતિ છોડીને ઊપડતે પગે ચાલ ચાલવાની ટેવ પાડવી જોઈએ.
[૧૫]
બધા હુન્નરો શીખવા – હુન્નર-કળા, સ્ત્રી-જીવનમાં હુન્નર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ચોસઠ કળા સ્ત્રીને શીખવાની છે. એ કળાઓમાં કુશલતાવાળી સ્ત્રી પોતાનું જીવન કદી પણ નીરસ કરી શકતી નથી. જીવન સદાકાળ એકધારું ચાલતું નથી તેમાં પણ આપત્તિસમય આવે છે ત્યારે જે સ્ત્રીને કોઈ પણ હુન્નર નથી આવડતો તે સ્ત્રી મૂંઝાઈને મરી જાય છે. હુન્નર અને કળાવાળી સ્ત્રીને પોતાના જીવનનિર્વાહ માટે કદી પણ ભય હોતો નથી. હુન્નર-કળાવાળી સ્ત્રીને સમય બચતો નથી; જ્યારે જે સ્ત્રીને હુન્નર નથી તે સ્ત્રી પોતાના વધારાના સમયને ક્યાં ગાળવો તેની વિચારણામાં પડી જાય છે ને પછી જ્યાંત્યાં ભટકવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org