________________
હિતશિક્ષા
૮૮
[૧૨] મેળા-ખેલામાં જવું નહિ – મેળામાં ગમે તેવા લોકો એકઠા થયા હોય છે. ત્યાં માણસોની ભીડ ઘણી હોય છે. ગમે ત્યાં જેવા તેવા લોકો ખરાબ ભાવનાને પૂરી કરવાના પ્રયત્નો કરતા અડ્ડો જમાવીને મેળામાં પડ્યા હોય છે. એવાઓથી ઘણી સાવચેતી રાખવા છતાં મેળામાં તેના ભોગ ઘણા બની જાય છે.
કોઈની ચોરી થાય છે તો કોઈની આબરૂ જાય છે. મેળામાં જોવાનું ઘણું હોય છે. – જુદી જુદી ચીજો વેચનારા વસ્તુઓનું પ્રદર્શન કરીને બીજાઓનું ખેંચાણ કરતા હોય છે. કેટલાક રમત-ગમત કરીને લોકોને રીઝવતા હોય છે. એટલે મેળામાં કદાચ બીજી સતામણી ન થાય તો પણ જે તે જોવાને પરિણામે કામનું કે નકામું ખરીદવાની અને મનને બહેલાવે એવું દેખવાની પ્રવૃત્તિથી તો બચી શકાતું નથી. તેથી પણ એકંદર નુકસાન થાય છે. એટલે મેળામાં સ્ત્રીએ ન જવું એ શિખામણ હૃદયમાં કોતરી રાખવી જરૂરી છે.
મેળા કરતાં વધારે બચવા જેવું ખેલાથી છે. ખેલા એટલે નાટક – ચેટક, ભવાઈ વગેરે. એવા ખેલથી તન-મન-ધન આદિ ખરાબ થાય છે.
નાટક-સિનેમા-રામલીલા ને ભવાઈ જોવા માટે જતી સ્ત્રીઓની પોતાની ભવાઈ કેવી થાય છે, એ નજરે જોવાય છે. જો તેથી બચવું હોય તો તે જોવાની વૃત્તિ ઉપર કાબૂ મૂકવો જોઈએ. કારણ ચાલુ રાખીને કાર્યથી બચવાના પ્રયત્નો વિફલ છે –
[૧૩] નહાવા-ધોવા માટે નદીકિનારે જવું નહિ – નદીકિનારે નહાવા-ધોવા માટે જવાથી લાજમર્યાદા તૂટી જાય છે. નહાવા-ધોવાની ક્રિયા કરતાં વસ્ત્ર-શરીરનાં ઠેકાણાં સાચવી શકાતાં નથી. નદીનો કિનારો સહુ કોઈને માટે સરખો છે. એટલે ત્યાં એવી ખરાબ વૃત્તિવાળા દુર્જનો ફરતા હોય છે ને કેટલીક વખત સ્ત્રીઓની છેડતી કરવાના પ્રસંગો પણ બનતા હોય છે. નદી માટે ગમ્મતમાં કહેવાય છે કે – “ન” એટલે નહિ, અને દી' એટલે દિવસ. જ્યાં દિવસ નથી તેનું નામ નદી. એટલે નદીકિનારે સદાકાળ રાત હોય છે. રાતમાં જેમ લાજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org