________________
છત્રીશીઃ રર-૨૩
સતી સીતા રાવણ જેવાને પણ વશ થઈ ન હતી. રાણકદેવી અને જસમાં ઓડણ સિદ્ધરાજ જેવા રાજાને હંફાવી શકી હતી.
જે સ્ત્રીમાં પતિવ્રતા ધર્મનું અને શિયળનું તેજ ઝળકે છે. તેની આંખ સામે પણ કામી જોઈ શકતો નથી. તેના અવાજથી સામો ધ્રૂજી જાય છે. સતીને સતીપણાથી દેવો ને દાનવો પણ ચલાયમાન કરી શકતા નથી, તો સામાન્ય માણસનું શું ગજું? આ સર્વ ભાવનાથી હૃદયને સબળ બનાવીને રમણીઓએ દુર્જનથી ડરવું એટલે તેનાથી દૂર રહેવું અને પ્રસંગ આવે ત્યારે દુર્જનને દૂર કરવા પણ તેને વશ ન થવું.
પ્રાણ જાય પણ પણ પ્રતિજ્ઞા) ન જાય એવો દૃઢ નિશ્ચય રાખવો.
[૧૧] પારકી શેરીમાં ગરબો ગાવા જવું નહિ – ગરબો એટલે રાસ. એ એક સ્ત્રીઓના સમૂહનૃત્યનો પ્રકાર છે. ગોળ કુંડાળે વળીને સરખે સરખી સુંદરીઓ રાસ રમતી હોય, ગરબો ગાતી હોય ત્યારે તે જોવાને આકાશમાં દેવતાઓ પણ થંભી જાય એવું એ હૃદયંગમ દય હોય છે. - સંગીતનો આ પ્રકાર શૃંગારરસનું અંગ છે. મોટે ભાગે ગરબો ગાવાનું રાત્રે હોય છે. એટલે પારકી શેરીમાં ગરબા ગાવા માટે જવું એ સ્ત્રીને માટે જોખમભરેલું છે. મોડી રાતે ગરબા પૂરા થાય ને ત્યાર બાદ પોતાને ઘરે જતાં રસ્તામાં કામી માણસોની સતામણી થવાનો ભય પૂરેપરો રહે છે. ઘણી વખત એવા પ્રસંગોમાં રક્ષણ સાથે રમણીઓને નિજ ઘર પહોંચતી કરવી પડે છે.
સ્ત્રીને માટે ગરબો ગાવા જવું એ કાંઈ મહત્ત્વનું નથી, મહત્ત્વનું તો છે પોતાનું શીલ સાચવવાનું, એટલે તે ભયમાં મુકાય એ રીતનું કાંઈ પણ કરવું એ અનુચિત છે.
ઇચ્છા પ્રમાણે ગમે ત્યારે ગમે ત્યાં ગરબે રમવા જતી સ્ત્રીઓ ફસાઈ પડી હોય અને ફસાઈ પડવાના સંયોગોમાં આવી પડી હોય તે દરેકના અનુભવમાં હોય છે, એટલે પારકી શેરીમાં ગરબો ગાવા ન જવું એ હિતકર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org