________________
છત્રીશી: ૨૨-૨૩
૮૩
દુર્જન સજ્જનને સતાવે છે. નથી દુર્જનની સામે થવામાં સાર કે નથી દુર્જનથી સહન કરવામાં. એટલે દુર્જનથી દૂર રહેવામાં જ મજા છે.
જે સ્ત્રીનો પતિ પરદેશ હોય તે સ્ત્રીને દુર્જનથી ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. જેટલી જરૂર હરિણીને વાઘથી ચેતતા રહેવાની છે તેટલી અથવા તેથી પણ વિશેષ દુર્જનથી ડરવાની છે. દુર્જનો શિકારી છે, અને તેઓ સ્ત્રીના શિયળનો શિકાર કરે છે. શીલનું રક્ષણ ઈચ્છતી સ્ત્રી દુર્જનથી ડરતી ફરે. દુર્જનથી ડરતી ફરે તેનો અર્થ એ નથી કે સ્ત્રી બિચારી-ગરીબ-રાંકડી બનીને દુર્જનનો ભય સેવ્યા કરે; પણ દુર્જનથી સાવધ રહે તેમ છતાં પ્રસંગ આવ્યું દુર્જનને બતાવી આપે કે હવે ફરી આ રસ્તે જવામાં મજા નથી. દુર્જનની દુર્જનતા ભુલાવી દે. બુદ્ધિબલ અને શીલ-રક્ષણની પૂરી ખંતથી દુર્જનોનેભયંકર દુર્જનોને ખરેખરી નસિયત આપનારી એક સતી સ્ત્રીની લાંબી વાત પણ ટૂંકમાં નીચે પ્રમાણે સમજવા જેવી ને પ્રેરક છેઃ
એક નગરમાં એક મોટા શ્રીમંતને એકનો એક પુત્ર હતો. લાડમાં તે ઊછરેલો. લાયક ઉમ્મર થતાં તેના વિવાહ-લગ્ન એક સતી સ્ત્રી સાથે કરવામાં આવ્યા. પરણીને સાસરે આવ્યા બાદ ટૂંક સમયમાં સ્ત્રીનાં સાસુ-સસરા સ્વર્ગ સિધાવ્યાં. પતિ ભોળો એટલે તેના ભોળપણનો લાભ દુનિયાના સ્વાર્થ-સાધુઓ લેવા લાગ્યા અને કરોડોની સંપત્તિને ખલાસ થતાં વાર ન લાગી. સમજવા છતાં સતી સ્ત્રી પ્રતિભક્તિથી પતિને સંપત્તિના નાશમાંથી બચાવી શકી નહિ. છેવટે સંપત્તિ ચાલી ગઈ એટલે કોઈ તેનું રહ્યું નહિ. એ દંપતી આર્થિક દુઃખમાં આવી પડ્યાં. એ દુઃખ દૂર કરવાનો ઉપાય મજૂરી-મહેનત સિવાય બીજો કોઈ હવે ન હતો. જ્યાં કોટ્યાધિપતિ તરીકે જીવન વિતાવ્યું હોય ત્યાં મજૂરી કરાય કઈ રીતે?. ... અને આપે પણ કોણ? એટલે તેણે પરદેશ જઈને કમાવાનો વિચાર કર્યો, પણ પોતાની આવી સુંદર અને સુશીલ સ્ત્રીને એકલી મૂકીને કેમ જવું? એ ચિંતા તેને સતાવવા લાગી. પતિના મનની ચિંતા જાણીને સતી સ્ત્રીએ કહ્યું કે – “તમે મારી ચિંતા ન કરો અને ખુશીથી કમાવા માટે પરદેશ પધારો. લ્યો, આ એક દૂધનો શીશો અને કમળનું ફૂલ. જ્યાં સુધી દૂધ તાજું ને તાજું હોય ત્યાં સુધી જાણજો કે મને કોઈ આપત્તિ નથી – મારું શીલ સુરક્ષિત છે. અને કમળ ખીલેલું હોય ત્યાં સુધી માનજો કે મારું શરીર સ્વસ્થ અને નીરોગી છે. તે બન્નેમાં ખામી દેખાય ત્યારે મારાં શીલ અને શરીરમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org