SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ હિતશિક્ષા હે શશિ! – એ પ્રમાણે પોતાની સહચરીને સંબોધીને વિયોગિની વાત કરે છે કે હવે શણગાર શા સજવા? શું કરવા કરવા? ગુણવંત સ્વામી તો પરદેશ પધાર્યા છે. ચાર સગણ એક ચરણમાં આવે તેને તોટક કહે છે. શશિ, શા. શ-એ પ્રમાણે પ્રારંભમાં શા શનસ મૂકીને કવિએ પોતાનો સંકેત જાળવ્યો છે. આમ પતિ પરદેશ ગયેલો હોય ત્યારે સ્ત્રી શણગાર ન સજે એ આર્યાવર્તના રૂઢ સંસ્કાર છે. નાત વચ્ચે જમવા જવું નહિ – એ શિક્ષાની પાછળ પણ નાતના જમણવારમાં મર્યાદાનો લોપ થાય એ રીતે જમવા ન જવું. મર્યાદાનો ભંગ થાય એટલે સ્ત્રી નિર્લજ્જ બને છે ને તેથી તેના શીલને ધક્કો પહોંચે છે. એ આશય છે. જેને શીલરક્ષણ કરવાની જવાબદારી પોતાને માથે આવી પડી છે એવી વિધવા સ્ત્રીઓ જ્ઞાતિ વચ્ચે જમવા નથી જતી એ પ્રચલિત છે. તે પ્રચલિત વ્યવહાર શીલરક્ષણ માટે મર્યાદાની સાચવણીને અર્થે છે. અમર્યાદિતપણે નાતમાં જમવા જતી સ્ત્રીઓનાં પરિણામ સારાં નથી આવતાં, એ સિદ્ધ હકીકત છે. નાત વચ્ચે જમવા જવું એ શિક્ષા પૂર્વની શિખામણ સાથે સંબંધ રાખે છે. એટલે પોતાનો પતિ પરદેશ ગયો હોય ત્યારે નાત વચ્ચે જમવા ન જવું. પરદેશ પતિ ગયેલ હોય ત્યારે નાતના જમણમાં સ્વચ્છંદપણે જમવા જતી સ્ત્રી પોતાના સદાચારને જાણી જોઈને જોખમમાં મૂકે છે. [૧૦] દુર્જનથી ડરતા રહેવું – દુર્જનનો ભય દરેકને રાખવાનો છે – તેમાં પણ સ્ત્રીને ખાસ કરીને – સતી સ્ત્રીઓને તો દુર્જનથી ખૂબ જ ડરતા રહેવાની જરૂર છે. પાદપાનાં ભર્યા વાતાત્ સાધૂનાં દુર્જનાર્દૂ ભયમ્ ' વૃક્ષને જેમ વાયુથી ભય છે તેમ સાધુઓને દુર્જનથી ભય છે. વાયુ વૃક્ષને ઉખેડી નાખે છે અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy