________________
છત્રીશી: ૨૨-૨૩
૮૧
કરકલિતકપોલ, ગલિતનિચોલ, નથતિ સતતરુદિતન નિશા-મનિમેષદશા | ન સખીમસુવિતિ ગુરુમભિવન્દતિ, નિન્દતિ હિમકરકરનિકરે, પરિતાપકરે, મનુતે દિ ભાર મુક્તાહાર,
દિવસનિશાકરદીનમુખી, જીવિતવિમુખી || ૧ | વિરહાગ્નિથી તપી રહી છે, મરકતમણિ સમા નિર્મલ કમલપત્રની પથારીમાં સૂતેલી તરફડ્યા કરે છે. હાથની હથેલીમાં ગાલને ટેકવીને બેઠી છે. ચોલી ગળી ગઈ છે. ટગર ટગર જોતી રોઈ રોઈને રાતને વિતાવે છે. સખી-સહચરીને ઓળખતી નથી – બોલાવતી નથી, ગુરુજનને વંદતી નથી - ઔચિત્ય જાળવતી નથી. ઉપતાપ વધારનારા ચન્દ્રમાના કિરણસમૂહને નિર્દે છે. હૃદય પર રહેલા મોતીના હારને ભારભૂત માને છે. દિવસના ચન્દ્રમાં સમાન મુખ ફીકું પડી ગયું છે. જીવવાની લાલસા દૂર કરીને દિવસો પસાર કરી રહી છે. એ સ્થિતિમાં રહેતી વિરહિણી શણગાર સજે એ કેવું બેહૂદું
બાકી કેટલીક સ્ત્રીઓ પતિ પરદેશ જવા પ્રયાણ કરે ત્યારે બહારથી જાણે વજપાત ન થયો હોય એવું દુઃખ દેખાડે છે અને અંદરથી રાજી રાજી થતી હોય છે. પારકા સાથે હળેલી એવી સ્ત્રીઓની નાતમાં ભળવા ઈચ્છતી સ્ત્રીઓને આ હિતશિક્ષા ગમે કે ન ગમે તે વજૂદનું નથી.
આ શિખામણ સહજ તો તે સ્ત્રીઓને છે કે જે સ્ત્રીઓ પતિના પ્રયાણ સમયે વિમનસ્કતા-બેચેની ખરેખરી અનુભવતી હોય છે. સ્ત્રીઓ સાચી સતી તરીકે વગપ્રયત્ન પ્રસિદ્ધ થઈ હોય છે, તે સ્ત્રી પતિના વિરહમાં શણગાર ન સજે એ જ એનો શણગાર ગણાય છે.
ગૂર્જરી પ્રજાને સમજાવી-ફોસલાવીને હિતવચન કહેતો ને ગૂર્જરી ગિરાને વિવિધ લાડ લડાવતો કવિ દલપતરામ દલપત્તપિંગલમાં તોટક છંદનું લક્ષણ જણાવતાં કેવી કોડીલી ભાષામાં ઉપરની હિતશિક્ષાને કવી લે છે.
“શિ! શા શણગાર હવે સજવા, ગુણવંત પતિ પરદેશ ગયા I” (તોટક)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org