SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ હિતશિક્ષા (૪) પારકી શેરીમાં ગરબો ગાવા જવું નહિ. (૫) મેળામાં અને નાટક-ભવાઈ આદિ ખેલમાં જવું નહિ. (૬) નાવા-ધોવા માટે નદીકિનારે જવું નહિ. [૮] પતિ પરદેશ હોય ત્યારે શણગાર ન ધરવા – સ્ત્રી એમ ને એમ મોહ ઉત્પન્ન કરનાર છે. સ્ત્રીને જોવાથી જ નહિ પણ તેનો વિચારમાત્ર કરવાથી પણ મદ ચડે છે. તેમાં પણ શણગાર સજેલી સ્ત્રીને જોઈને એવું આકર્ષણ જન્મે છે – તે પોતાની સાન-ભાન ગુમાવીને જેમ દીપશિખામાં પતંગિયું ઝંપલાવે છે – તેમ તે ઝંપલાવે છે. જેના પ્રત્યે આકર્ષણ છે તેને મેળવવા એ કામી જીવડો સર્વ કાંઈ કરી છૂટે છે. એવા પ્રસંગોથી બન્નેને ઘણું ઘણું સહન કરવું પડે છે. જ્યારે રક્ષણ કરનાર-બચાવનાર પોતાનો પતિ પરદેશ છે ત્યારે તો પતન પામતાં વાર લાગતી નથી. સ્ત્રીને શૃંગાર સજીને રાજી રાખવા યોગ્ય કોઈ વ્યક્તિ હોય તો તે તેનો પતિ છે – સ્વામી છે; નહિ કે બીજા. બીજાનું એવા પ્રકારનું આકર્ષણ ન વધે તેમાં જ લાભ છે. પતિ બહારગામ જાય ત્યારે શણગાર સજતી સ્ત્રીને માટે આજુબાજુમાં જે વાતો થતી હોય છે તે જો તે સ્ત્રી સાંભળે તો તેને ખબર પડે કે આનું પરિણામ કેવું વિષમ અને વિરૂપ આવે એમ છે. જેનો પતિ પ્રવાસી છે તે સ્ત્રી પ્રોષિતભર્તકા' કહેવાય છે. એ વિરહિણી રમણીને પતિ-વિયોગજન્ય દુઃખ એવું સાલતું હોય કે તેમાં તેને ખાવા-પીવાનું પણ ન ગમતું હોય તો શૃંગાર સજવાનું મન ક્યાંથી થાય? સાહિત્ય-ગ્રન્થોમાં તેનાં ખાસ લક્ષણો જણાવ્યાં છે. એ લક્ષણોથી જ બીજાને ખબર પડી જાય કે આ સ્ત્રીનો સ્વામી પરદેશ ગયો છે. વિરહાગ્નિથી પીડાતી વિયોગિનીનું વર્ણન સંસ્કૃત સાહિત્યમાં ખૂબ મળે છે. યોગિની કરતાંય વિયોગિની સ્ત્રીનું મન કોઈકના ધ્યાનમાં વિશેષ એકતાર બની ગયું હોય છે. તેની દશા કેવી હોય છે તેનું એક ચિત્ર નીચેના કાવ્યશ્લોકમાં સુન્દર રીતે ખડું થાય છે. વિરહાનલતપ્તા સીદતિ સુપ્તા, રચિત નલિનદલતભૂલે, મરકતવિમલે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy