SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીશી : ૨૨-૨૩ ૭૯ ધોબણ માળણ, કુંભારણ અને જોગણ એ ચાર તો મુખ્ય હોવાથી અહીં ગણાવ્યાં છે. બાકી તેને મળતી ઘાંચણ, વાઘરણ, ભરવાડણ, વડારણ; ભંગિયણ, સોના૨ણ, હજામડી, વગેરેના સંગમાં રહેવાથી પણ ગેરલાભ થાય છે. એટલે એ સર્વનો પણ સંગ ન કરવો. જીવનમાં જે સંગથી સારા ગુણની પ્રાપ્તિ અને સંરક્ષણ થાય તેનું સખ્ય સાધવું – બાકી વ્યવહારમાં કામપૂરતું કામ સહુ કોઈથી લેવું પડે છે. કામ લેવું એ જુદી વાત છે અને સખ્ય સાધવું એ જુદી વાત છે. સંગ કરવો એટલે સખ્ય સાધવું. એવા સંગથી એકંદર નુકસાન થાય છે, માટે એ સંગ ન કરવો. નુકસાન થાય કે ન થાય તો પણ એવા સંગથી આળ ચડે છે, આળ ચડે એવું શા માટે કરવું જોઈએ? સ્ત્રીઓનું મોટું ધન શિયળ છે. એ એક ગુણ સ્ત્રીમાં જો પૂરેપૂરો ખીલ્યો હોય તો તે આખા જગતને વશ કરવા સમર્થ બની શકે છે. ગમે તેવી આપત્તિઓમાંથી શીલપ્રભાવે તે ઊગરી શકે છે. શીલને લઈને સ્ત્રી સતી કહેવાય છે અને તેના વગર એ કુલટા ગણાય છે. બાવીસમી અને ત્રેવીસમી કડીમાં હિતશિક્ષાકાર તે શીલગુણના સંરક્ષણને અનુરૂપ શિખામણો આપે છે – તે આ પ્રમાણે – ૨૨-૨૩ નિજ ભરતાર ગયો દેશાવર, તવ શણગાર ન ધરીએ જી; જમવા નાતિ વચ્ચે નવ જઈએ, દુર્જન દેખી ડરીએ. ૨૨ સુણજો સજ્જન રે. પરશેરી ગરબો ગાવાને, મેળે ખેલે ન જઈએજી; નાવણ ધોવણ નદીકિનારે, જાતાં નિર્લજ્જ થઈએ. ૨૩ સુણજો સજ્જન રે. (૧) પોતાનો પતિ પરદેશ ગયો હોય ત્યારે શૃંગાર સજવા નહિ. (૨) જ્ઞાતિ વચ્ચે જમવા જવું નહિ. (૩) દુર્જનથી દૂર રહેવું - ડરવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy