________________
હિતશિક્ષા
માળણ ઘણી જ સહેલાઈથી કરે છે. અને એ રીતે એકબીજાને વશ રાખવાની શક્તિ પણ તેનામાં સારી ખીલી હોય છે. એકબીજાની ગુપ્ત વાતો સાચવવા માટે વળતર પણ તે તે વ્યક્તિ પાસેથી તે ઠીક પ્રમાણમાં મેળવી શકે છે. માળણ ગમે તે સ્થળે જવા-આવવાની છૂટ ધરાવે છે.
વિશ્વમાં અનેક પ્રકારનાં પુષ્પો ખીલતાં હોય છે. તેનો પરાગ આસ્વાદવા માટે પુષ્પયો – ભ્રમરો ઇચ્છતા હોય છે. યથેચ્છપણે પરાગ ચૂસતા એ ભ્રમરોને ઉરાડી મૂકવા કે ચૂસવા દેવા એનો અધિકાર માળણના હાથમાં છે. મોટે ભાગે એ અધિકારનો દુરુપયોગ કરનારી સ્ત્રીનો સંગ કરવો એ ઉચિત નથી. એવા સંગથી સાચું કે ખોટું આળ ચડ્યા વગર રહેતું નથી.
કુંભારણ – પાત્રની પાત્રતા ટકાવી રાખવી કે નહિ? તેનો અધિકા૨ ધરાવતી આ સ્ત્રીથી સાવધ રહેવા જેવું છે. કુંભારણના સંગથી કેટલાક હલકા અને કેટલાક હળવા સંસ્કારો આવે છે. પુરુષને કુંભાર અને સ્ત્રીને કુંભારણ કહે તો તેથી તેને ખુશી ઊપજતી નથી પણ અપમાન લાગે છે એ એક જાતની ગાળ છે એવી વ્યાવહારિક સમજ છે. ધોબણ અને માળણની માફક કુંભારણને પણ ઘ૨ ઘ૨ જવાનો અને અનેકનો અનેક પ્રકારે પરિચય સાધવાનો વ્યવસાય રહે છે. હલકા સંસ્કારને વશ એવાં કાર્યોમાં સીધી કે આડકતરી રીતે તે સહાયભૂત થવાનું ઇચ્છે છે. અને ઘડા-માટલાં વગેરે વેચવાના કાર્યની સાથે ગૌણ કાર્ય પણ એવા પ્રકારનું તેનું બની જાય છે. એની સંગતિથી સ્ત્રીમાં કલંક આવતાં વાર લાગતી નથી માટે તેનો સંગ ન કરવો એ હિતાવહ છે.
જોગણ ભગવાં પહેરીને ઘ૨ ઘ૨ ભીખ માગીને જીવનવ્યવહાર ચલાવતી સ્ત્રી જોગણ છે. કેટલીક મેલી સાધનાનું બળ પણ તેની પાસે હોય છે. એના સમાગમથી કાંઈનું કાંઈ કરવાનું મન થઈ આવે છે. પરિણામે જીવનની દિશા પલટાઈ જાય છે, રાહ બદલાઈ જાય છે, અવળા રાહે જીવન ચડી જાય છે. એકબીજાના સંદેશા એકબીજાને પહોંચાડીને અવળા માર્ગમાં મદદ કરતી જોગણ એ ઓછી ભયંકર નથી. સ્ત્રીના શિયળને ભરખી જનાર એ મહાવ્યાધિ છે. જેટલું મોટા રોગથી નુકસાન થાય છે, તેથી વધુ નુકસાન જોગણનો સંગ સ્ત્રીને પહોંચાડે છે. એટલે એથી બચવું ખૂબ જ આવશ્યક છે. કામણ, ચૂમણ, મારણ, ઉચ્ચાટન, ગર્ભસ્તંભન, દોરા-ધાગા વગેરે વ્યવસાય જોગણ કરે છે, ને તે અનેક રીતે ભયંકર પરિણામ ઉપજાવે છે.
७८
Jain Education International
For Personal & Private Use Only
dys
www.jainelibrary.org