________________
અથ સ્ત્રીજનોપયોગી શિક્ષા
વ્યવહા૨ અને ધર્મ એ બંનેમાં પ્રધાનતા પુરુષની છે. કોઈ કોઈ અપવાદો બાદ કરતાં સ્થળ અને કાળમાત્રમાં સત્તા પુરુષની ચાલે છે. જેના હાથમાં સત્તાનાં સૂત્રોનું સંચાલન છે તે જો વ્યવસ્થિત હોય તો તેને અધીન જે સંચાલન છે તે પણ સુન્દર વ્યવસ્થાવાળું હોય. એટલે છત્રીશીકારે પ્રથમ ૧૮ કંડીઓ પુરુષને હિતશિક્ષા આપવા માટે લખી છે. હવે આઠ કડીઓ સ્ત્રીઓની હિતશિક્ષા માટેની જણાવે છે. સ્ત્રીઓ પાસે પણ ઓછી સત્તાનું સંચાલન નથી. ઘરમાં સ્ત્રી પ્રધાન છે. સ્ત્રી એ જ ઘર ગણાય છે. એટલે તે ક્ષેત્રમાં સ્ત્રીઓની પણ પૂરી જવાબદારી છે. તે જવાબદારી અદા કરવા માટે સ્ત્રીઓએ ખાસ કેવી રીતે વર્તવું જોઈએ તે સ્ત્રીઓએ ખાસ કરીને અને તે જવાબદારી અદા કરાવવા માટે પુરુષોએ પણ જાણવું જરૂરી છે. તે શિખામણો આ પ્રમાણે છે.
૧૯
સસરો સાસુ જેઠ જેઠાણી, નણદી વિનય મ મૂકોજી; શાણપણે શેરી સંચરતાં, ચતુરા ચાલ મ ચૂકો. : ૧૯: સુણજો સજ્જન રે. (૧) સસરા, સાસુ, જેઠ, જેઠાણી અને નણંદનો વિનય મૂકવો નહિ. (૨) શેરીમાં જતાં-આવતાં શાણપણું રાખવું અને ચાલ ચૂકવી નહિ.
Jain Education International
[૧]
સસરા વગેરેનો વિનય મૂકવો નહિ – વિશ્વમાં મોટામાં મોટું વશીક૨ણ
For Personal & Private Use Only
www.jainelibrary.org