SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીશીઃ ૧૪-૧૫ પણ લક્ષ્મી સારા માર્ગમાં પણ ન જતી હોય એમ બનવું સ્વાભાવિક છે. માટે મોભા પ્રમાણેનો સ્વચ્છ વેશ પહેરવો અને તે છાકટો ન હોય તેની કાળજી રાખવી એ સર્વથી શ્રેષ્ઠ છે. [૫૦] પગથી પગ ઘસીને ધોવા નહીં – પગથી પગ ઘસીને ધોવા એ અપલક્ષણ છે. અપલક્ષણ અને લક્ષ્મીને આડવેર છે. પગ એ પૂજનીય છે. પૂજનીયને પગ લાગે એ અનુચિત છે. એટલે પરસ્પર પગ ઘસીને ધોવા એ નિંદનીય છે. પગથી પગ ઘસીને ધોવામાં અશુચિ – મેલ બરાબર દૂર થતો નથી. મલિનતા ચોંટી રહે છે. પગથી પગ ધોનાર આળસુ હોય છે, એ સ્પષ્ટ છે. જો આળસુ ન હોય તો એમ ન કરે. આળસુ પાસેથી લક્ષ્મી વિદાય લે છે. પગથી પગ ઘસી ધોવાના જેવું જ એક અપલક્ષણ પગથી પગની આંટી નાખવી એ છે. એ અપલક્ષણ પણ ભાગ્યની ખિલવણીમાં આડખીલીરૂપ છે. એક ભાગ્યશાળીની વાત છે. તેને પગની આંટી નાખવાની કુટેવ ઘર કરી ગઈ હતી, તેથી તે છતે ભાગ્યે ભિખારી બની ગયો હતો. જંગલમાં એક જોગી પાસે તે રહેતો હતો. જોગીએ તેના ભાગ્યની પરીક્ષા કરી. આવી રેખાવાળો, આવાં લક્ષણવાળો મહાન રાજા બનવો જોઈએ એમ યોગીને લાગ્યું - છતાં તેની આવી સ્થિતિ સાથી છે? તે તરત તો જોગીને સમજાયું નહીં. દિવસો જતાં જોગીને જણાયું કે – આ પગની આંટી નાખવાની કુટેવ આ છોકરાના ભાગ્યની આડે આવે છે. ઘણી વખત ટોક્યા છતાં એ ટેવ તેનાથી દૂર કરી શકાતી ન હતી. ટેવ એવી બૂરી ચીજ છે કે જે સહેલાઈથી કાઢી શકાતી નથી. તે દૂર કરવાને બળ વાપરવાની જરૂર અનિવાર્ય છે. એક વખત લાગ જોઈને જોગીએ પોતાનો ચીપીઓ ધગધગતો – લાલચોળ બનાવીને તે છોકરાના પગ ઉપર જ્યાં તેની આંટી પડતી હતી ત્યાં જ એવા જોરથી માર્યો કે પગમાંથી માંસનો લોચો નીકળી આવ્યો. પગ પાકી ગયો. પીડા વધી પડી. પછી તો પગની આંટી નાખવા જાય ત્યારે અસહ્ય દુઃખ થાય ને પગની આંટી નાખી શકાય જ નહીં. ટેવ છૂટવાની સાથે ભાગ્યને અવકાશ મળ્યો. તેનું ભાગ્ય ખીલી ઊઠ્યું. તે મહાનું રાજા બન્યો. રાજા થયો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy