________________
પર
હિતશિક્ષા
ઘેલી હોય છે. એવું ભલે એકાંતે ન હોય પણ મોટે ભાગે હોય છે. મલિન વેશ ધારણ કરનાર ટૂર્તિ રાખી શકતો નથી, ઉદ્યમ આચરી શકતો નથી. સારા ઉદ્યોગને અને તેને પૂરો અણબનાવ હોય છે એટલે ધીરે ધીરે તે શ્રીહીનસંપત્તિવિહોણો બની જાય છે. મલિન વેશવાળાને જોઈને તેના પ્રત્યે બીજાઓને સદ્ભાવ જાગતો નથી. બીજા અનેક ગુણો હોવા છતાં ઘણી વખત મલિન વેશવાળો સભ્ય સમાજમાં સ્થાન મેળવી શકતો નથી. પરિણામે સારા સારા માણસોના સંસર્ગથી તે વંચિત રહે છે ને શ્રીનું રક્ષણ કરવા માટે અસમર્થ બને છે.
લક્ષ્મીનો અર્થ ધન-સંપત્તિ થાય છે. તે પ્રમાણે શોભા પણ થાય છે. મલિન વેશવાળાની શોભા નથી હોતી એ તો સ્પષ્ટ છે.
દરિદ્ર નર, જેની પાસે પેટ પૂરું કરવા જેટલી પણ સંપત્તિ નથી એવા ધનહીન માણસો મલિન વેશ ધારણ કરે તેમાં તેમની શોભા ઘટતી નથી – કેટલીક વખત તેઓના મલિન વેશ પણ તેમની સ્થિતિ અને પરિસ્થિતિ સમજાવવામાં સારો ભાગ ભજવે છે. જ્યારે ધનવાન એવો વેશ ધારણ કરે તે તેને લાંછનરૂપ બની જાય છે. લક્ષાધિપતિ કે ક્રોડાધિપતિ એવા વિરૂપ વેશે તેવા પ્રકારના વેશવાળાની સાથે રહેલ હોય તો તેને પણ ગરીબ સમજીને અણજાણ માણસો સાથે સાથે તેની પણ દયા ખાય. વ્યવહારમાં એવા પ્રસંગો ઘણી વખત બની જાય છે. જ્યારે એવી પરિસ્થિતિમાં શ્રીમંત મુકાઈ જાય છે ત્યારે તેની વિષમતા ખૂબ જ શોચનીય હોય છે.
મલિન વેશ અને સ્વચ્છ વેશ, છાકટો વેશ અને સાદો વેશ, પોતાની સ્થિતિને યથાનુરૂપ જણાવતો વેશ અને તેને છુપાવતો વેશ એ સર્વ સમજવા જેવું છે.
કેટલાક માણસો મલિન વેશ નથી રાખતા છતાં ઉદ્ભટ છાકો પહેરવેશ પહેરતા હોય છે, તે પણ અનુચિત છે. તેથી બહારના નુકસાન કરતાં અત્યંતર નુકસાન ભયંકર થાય છે.
કેટલાએ શ્રીમંતો તદ્દન સાદો વેશ પહેરવામાં સાદાઈ સમજતા હોય છે છતાં તેવો વેશ તેમને માટે શોભાસ્પદ તો નથી. ભલે તે વેશ મલિન ન હોય, છાકટો ન હોય છતાં તે તેઓના મોભા પ્રમાણેનો તો નથી. મોભા પ્રમાણેનો વેશ ન હોય તેને લક્ષ્મી ન છોડતી હોય એમ બને પણ તેની પાસેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org