________________
છત્રીશી: ૧૨-૧૩
૪૯
|
૧ ||
અસ્મિનું મહામોહમયે કાહે સૂર્યાગ્નિના ચત્રિદિવેધનેન !. માસતું પરિઘટ્ટનેન, ભૂતાનિ કાલ પચતીતિ વાત અહન્યહન ભૂતાનિ, ગચ્છત્તિ યમમન્દિરમ્ . અપર સ્થાતુમિચ્છત્તિ, કિશમાશ્ચર્યમતઃ પરમ્
| ૨ શ્રુતિવિભિન્ના મૃતયોપિ ભિના, નકો મુનિર્વસ્ય વચઃ પ્રમાણમ્ | ધર્મસ્ય તત્ત્વ નિહિત ગુહાયાં, મહાજનો યેન ગતઃ સ પત્થાઃ | ૩ | દિવસયાષ્ટએ ભાગે, શાક પચતિ યો ગૃહે ! અનૃણી ચાપ્રવાસી ચ, સ વારિચર! મોદd
પ્રસન્ન થયેલા યક્ષે ચારે મૂચ્છિત થયેલાને યુધિષ્ઠિરની વિશેષ પરીક્ષા કરીને સજીવન કર્યા. આ વાતમાં પણ માથે દેવું ન કરવું અને ન રાખવું એ સ્પષ્ટ છે.
[૪૮] કષ્ટ ને ભયવાળા સ્થાનને છોડીને પરદેશ જઈને રહેવું – કષ્ટ અને ભય બે પ્રકારનાં છે – બહારનાં અને અન્દરનાં. જે સ્થાનમાં એવાં ભય અને કષ્ટ હોય તે સ્થાનનો ત્યાગ કરવો ને કષ્ટ-ભય રહિત સ્થાનમાં જઈને વસવું. - જ્યાંની ધરતી જ ધૂજી ઊઠતી હોય એવી ધરતીનો જે મૂઢ માણસો ત્યાગ નથી કરી શકતા તેઓ આખરે પતન પામીને દુઃખી થાય છે. એવા સ્થળનો ત્યાગ કરનારા સુખ મેળવે છે.
ગમે ત્યાં જાવ પણ ભાગ્ય બે ડગલાં આગળ ને આગળ જ રહેવાનું એ વચન સર્વીશે સત્ય નથી. માણસને વિપત્તિ કે સંપત્તિ આપનારાં સાધનોમાંનું ભાગ્ય એક સાધન છે. ભૂમિવિશેષમાં ભાગ્ય જોર કરે છે અને ભૂમિવિશેષમાં સારું ભાગ્ય પણ મોળું પડી જાય છે. અમુક સ્થાનમાં દુઃખીદુઃખી થઈ ગયેલા માણસો સ્થાન ફેરવવાથી સારી રીતે સુખી થયાનાં ઘણાં દૃષ્ટાંતો છે. - સિંહ, સપુરુષ અને હાથી સ્થાન (વિપત્તિવાળું) છોડીને બીજે સ્થળે જાય છે; જ્યારે કાગડા, નિર્માલ્ય પુરુષો અને હરણિયાંઓ સ્થાન છોડી શકતાં નથી અને દુઃખી થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org