________________
હિતશિક્ષા
સ્થાનમુત્યુજ્ય ગચ્છત્તિ, સિંહા સત્યુષા ગજા /
તવૈવ નિધન યાત્તિ, કાકા કાપુરુષા મૃગાર / ૧ દુઃખનો ડુંગર ખડકાવા છતાં પણ જેઓ પોતાનું સ્થાન છોડી શકતા નથી અને કહ્યા કરે છે કે – આ તો અમારા બાપદાદાનું સ્થાન છે, એ કેમ છોડાય? તેવાઓને માટે નીતિકાર કહે છે કે – બાજુમાં મીઠું પાણી પુષ્કળ મળતું હોય છતાં આ અમારા બાપદાદાનો કૂવો છે એમ કહીને એ ખારા કૂવાનું ખારું પાણી મૂઢ માણસો પીવે છે.
તાતસ્ય કૂપોડ્યુમિતિ બ્રુવાણા, ક્ષારે જલ મૂઢનાઃ પિબત્તિ I
પ્રાણ પણ જોખમમાં મુકાય એવા રોગોની હવા ફેલાતી હોય, આજીવિકા ન ચાલતી હોય, અપયશ કરનારા શત્રુઓ ઘણા હોય, સન્માન ન જળવાતું હોય, રાજા આદિ સત્તાધારીઓની કરડી નજર રહેતી હોય વગેરે બાહ્ય કારણો સ્થળને છોડી દેવા માટે મુખ્ય છે.
આત્માને વ્યસનમાં ખેંચી જનારું વિષય-વિકાપ્રધાન વાતાવરણ હોય, ધર્મવૃત્તિ ન જળવાય એવા પ્રસંગો સતત રહેતા હોય, વિરુદ્ધ ધર્મવાળાનું જોર હોય ઇત્યાદિ અત્યંતર નિમિત્તા સ્થાનનો ત્યાગ કરવા માટે પ્રધાન છે.
કવિવર ધનપાલ, દેદાશાહ, પેથડકુમાર વગેરે પૂર્વે કહેલાં કારણોને લીધે વર્ષોના વસવાટવાળા પોતાના સ્થાનનો ત્યાગ કરીને બીજે જઈને રહ્યા હતા. અને બાહ્ય-અત્યંતર બન્ને રીતે સુખી થયા હતા. ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દુઃખજનક સ્થાનનો ત્યાગ કરવો એ સુજ્ઞનું લક્ષણ છે.
લક્ષ્મી કઈ રીતે મળે? પૈસા પેદા કરવા માટે કેવું વર્તન રાખવું જોઈએ ? અને કેવા ઉપાયો લેવા જોઈએ? તે અંગે કેટલીક શિખામણની વાતો ૧૨ ને ૧૩મી કડીમાં શિક્ષાકારે સમજાવી. હવે એ રીતે મેળવેલી લક્ષ્મી સ્થિર કઈ રીતે થાય, આવેલી લક્ષ્મી ચાલી ન જાય તે માટે કેટલીક શિખામણો આપે છે. નીચે જણાવ્યા પ્રમાણે વર્તન કરવાથી આવેલી લક્ષ્મી પણ ઘર છોડીને ચાલી જાય છે, માટે તેવાં વર્તનો છોડી દેવાં જોઈએ. એવાં વર્તન કરનારાઓ પોતાનું ભાગ્ય પરવારી બેસે છે ને નિભંગીને લક્ષ્મી ત્યજી દે છે. જે વર્તનો ભાગ્ય ઓછું કરનારાં છે – તેનાથી ભાગ્ય કેમ ઓછું થાય છે? તે તે વર્તનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org