________________
હિતશિક્ષા
પણ તવ કિમુ રિપવા? તારે શત્રુઓ શાથી છે? ટૂંકામાં ભિક્ષકે કહ્યું ભિત્તિ ભેત્તાકસ્મિ યેષામ્ જેઓનાં હું ઘર ફડું તેઓ બધા મારા શત્રુઓ છે. શ્રીમંત સમજી ગયો કે આ ચોર છે – એટલે સ્પષ્ટ પૂછ્યું કે ચૌરોડસિ? શું તું ચોર છે? જવાબમાં ભિક્ષુકે કહ્યું કે શું કરું ધૂતહેતો – જુગારની લત પડી છે, તેમાં ધન ગુમાવું છું. મારી પાસે ધન હોતું નથી ને જુગારમાં આપ્યા વગર ચાલતું નથી. એટલે ચોરી કરીને ધન મેળવું છું. પોતાની – જીવનની મૂળભૂત વાત એ પ્રમાણે તેણે શ્રીમંતને કહી દીધી. ઉત્તરમાં શ્રીમંતે કહ્યું કે તવ કિ સકલમ! ત્યારે તો તું બધી વાતે પૂરો છે? ભિક્ષુકે વળતું કહ્યું – નાસ્તિ નષ્ટ વિચારો નષ્ટ થયેલાને, પતિતને કાંઈ વિચાર નથી હોતો.
ભિક્ષો કન્યા શ્યથા તે નહિ શરિવધ જાલ મનાસિમસ્યાનું તે વે મોપદેશા, પિબસિ મધુસમ વેશ્યથા યાસિ વેશ્યામ્ | દતા મૂર્ધન્યરીણાં તવ કિમ્ રિપવઃ ભિત્તિ ભેજ્ઞાસ્મિ યેષાં ચૌરોડસિ ધૂતહેતો તવ કિમુ સકલ નાસ્તિ નષ્ટ વિચારઃ |
આ વાતમાં સ્પષ્ટ છે કે પ્રથમ જુગાર, તેમાંથી ચોરી, તે બન્નેની પાછળ વેશ્યાગમન, દારૂ, શિકાર ને માંસભક્ષણ ચાલ્યાં આવે છે. પરસ્ત્રીસેવન અને વેશ્યાગમનમાં બહુ લાંબું અંતર નથી. એટલે જુગારની પાછળ બીજા ખેંચાઈ આવે છે. - સટ્ટા જેવા અમુક ધંધાઓ પણ ઘણાને જુગાર જેવા થઈ ગયા હોય છે ને તેની પાછળ તેઓ ખુવાર થતા હોય છે. તેવાઓએ ખુવારીમાંથી બચવા ખાતર પણ તેવા વ્યવસાય છોડી દેવા જોઈએ.
નળરાજા અને પાંડવોએ જુગારથી કેવાં કષ્ટો ભોગવ્યાં એ છૂપું નથી. માટે ધૂતનું ભૂત માથે ન ચડી બેસે, તે માટે ખાસ સાવધ રહેવાની જરૂર
રમત અને વિનોદના લેબાસમાં પણ જુગારે પોતાનું વ્યક્તિત્વ વિશ્વમાં સ્થળે સ્થળે જમાવ્યું છે. તેમાં ફસાએલા જાણવા છતાં બચાવ કરતા હોય છે કે – આ તો ખાલી રમત છે, જુગાર નથી; પણ જ્યારે તેનાં પરિણામ ભોગવવાનો વખત આવે છે ત્યારે પોક મૂકવી પડે છે. એવો વખત આવે તે પહેલાં જ ચેતી જવું જોઈએ. તેના ફંદામાં ન ફસાવું એ જ શ્રેયસ્કર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org