________________
છત્રીશી: ૧૧
૪૧
વેશ્યાગમન (૫) શિકાર (૬) ચોરી કરવી (૭) પરસ્ત્રીસેવન. આ વ્યસનો સેવન કરનારને મહા-ભયંકર નરકમાં લઈ જાય છે. આ સાતમાં પ્રથમ વ્યસન જુગાર
ઘૂત ચ માંસ સુચ ચ વેશ્યા, પાપદ્ધિચૌર્યે પરારસેવા | એતાનિ સપ્ત વ્યસનાનિ લોકે,
ઘોરાતિઘોરે નરક નયતિ || ૧ | સાતમાં જુગારને પ્રથમ સ્થાન મળ્યું છે. કારણ કે બીજાની પાછળ તે ખેંચાતો હોય એવું ઓછું બને છે, પણ તેની પાછળ બીજાં છ અવશ્ય ખેંચાઈ આવે છે. પછીનાં છને દોરનાર Leader જુગાર છે. જુગારની પાછળ બીજાં વ્યસનો કેવી રીતે ખેંચાઈ આવે છે તે નીચેની એક હકીકતમાં સ્પષ્ટ જણાઈ આવે છે.
એક મહાદાતાર શ્રીમાનું સવારમાંથી ઊઠીને ભિક્ષુકોને અન્નદાન દેતો હતો, ત્યાં દાન લેવાને એક ભિક્ષુક જેવો દેખાતો માણસ આવ્યો. દાનેશ્વરીએ તેને અન્ન આપવા માંડ્યું; તેણે તે અન્ન લેવા બેવડું – ચોવડું વાળેલું વસ્ત્ર પહોળું કર્યું ત્યારે તેમાં ઘણાં છિદ્રો – કાણાં શ્રીમંતને દેખાયાં, એટલે તેણે પેલા ભિક્ષુકને પૂછ્યું –
ભિક્ષો ! કન્યા શ્લથા તે? હે ભિક્ષુક! તારી ઝોળી ફાટી ગઈ છે ?
ભિક્ષુકે જવાબમાં કહ્યું – નહિ શફવિધ જાલમ્, આ ફાટેલી ઝોળી નથી પણ માછલાંઓને પકડવાની જાળ છે. એવો તેનો જવાબ સાંભળીને દાતાએ કહ્યું – અજ્ઞાસિ મસ્યાનું, તું મત્સ્ય - માછલાં મારે છે ને ખાય છે? તે વૈ મદ્યપદેશા ભિક્ષુકે જવાબ આપ્યો માછલાં એમ ને એમ એકલાં નથી ખાતો પણ મદ્ય – દારૂનું પણ સાથે મિશ્રણ હોય છે. પિબસિ મધુ? શું તું દારૂ પીએ છે? શ્રીમંતે પુનઃ પૂછ્યું, ભિક્ષકે કહ્યું, સમં વે૩યા – એકલો દારૂ પીતો નથી પણ વેશ્યાની સાથે રહીને પીઉં છું. યાસિ વેશ્યામું? શું તું વેશ્યાગમન કરે છે? એ પ્રમાણે આશ્ચર્યથી શ્રીમંતે પૂછ્યું ત્યારે હસીને ભિક્ષકે જવાબ આપ્યોઃ દ–ાડપિંઘ મૂર્ધન્યરીણામૂ- છાનો – છુપાઈને કાંઈ હું વેશ્યાને ત્યાં નથી જતો પણ મારા શત્રુઓ જોતા રહે ને તેમના માથા ઉપર પગ મૂકીને જાઉં છું. વધુ આશ્ચર્ય પામીને દાનેશ્વરીએ કહ્યું કે આ બધું તો ઠીક
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org