________________
૪૦
હિતશિક્ષા
અને બીજા હાથમાં પાણીનો લોટો લઈને નીકળ્યા. જમનારાઓને પંખાથી પવન નાખતા જાય અને પાણી પીરસતા જાય. મુસાભાઈનો આવો વિવેક જોઈને નાતવાળા વાહ-વાહ પોકારી ઊઠ્યા. બે મોઢે મુસાભાઈનાં વખાણ કરવા લાગ્યા. ત્યારે મુસાભાઈ કહેવા લાગ્યા કે ભાઈ! નાતનું નાત જમે ને મુસાભાઈનાં વા-પાણી જમનારા કહે કે છો કાંઈ ! આટઆટલું કરવા છતાં કેટલી બધી સાદાઈ છે! છે જરાય અભિમાન? મુસાભાઈએ તો જમવા આવ્યા હતા તે બધાના જોડાઓ વેચાવી નાખ્યા હતા ને તેના પૈસા પોતે લઈ લીધા હતા. પોતે ખર્ચ કર્યો હતો તે કરતાં પૈસા વધુ આવ્યા હતા એટલે આખી નાતમાં તેઓ આડકતરી રીતે જાહેર કરતા હતા કે “નાતનું નાત જમે ને મુસાભાઈનાં વા-પાણી. પાછળથી એ કહેવાનો મર્મ નાતીલાઓને સમજાયો. પછીથી તો તેઓ એવી ચડામણી કે ચીડવણી કરવાની ખો ભૂલી ગયા.
કેટલાક આ કથામાં કહે છે કે મુસાભાઈ નાતના શેઠ હતા ને તેમને ઘેર નાતનાં વાસણો રહેતાં હતાં. બધું પત્યા પછી મુસાભાઈએ તે બધાં વાસણો વેચી નાખ્યાં ને તેમાંથી નાત જમાડી તેના રૂપિયા કાઢી લીધા. ફરી જ્યારે નાતને વાસણોની જરૂર પડી ત્યારે બધી વાત ફૂટી ગઈ ને નાત ભેગી થઈ ત્યારે મુસાભાઈએ કહ્યું કે મેં તો બધાની વચ્ચે કહી દીધું છે કે ભાઈ! આમાં મારું કાંઈ નથી, આ તો નાતનું નાત જમે છે, આમાં મુસાભાઈનાં તો વા ને પાણી બે જ વાનાં છે.”
ગમે તેમ કર્યું હોય તે મુસાભાઈ જાણે, આપણે શું? આવા વરા કરવા કે કરાવવામાં શો સાર છે? એ ન થાય એમાં જ મજા છે.
[૪૧] જુગાર રમવો નહીં – જુગાર એ મહાવ્યસન છે. વ્યસન એટલે દુઃખ. જેમાંથી દુઃખ ઉત્પન્ન થાય તેનું નામ વ્યસન નાનું દુઃખ આપનારાં નાનાં વ્યસન અને મોટું દુઃખ આપનારાં મોટાં વ્યસન કહેવાય. એ મોટા વ્યસનની વિચિત્રતા તો એ છે કે – તેથી આવી પડતાં દુઃખો સહન કરવા છતાં તેને પરવશ પડેલો જીવ તેથી છૂટી શકતો નથી. સમજુ પણ તેમાં ફસાયા પછી બચી શકતો નથી.
મહાવ્યસનો સાત છે. (૧) જુગાર (૨) માંસભક્ષણ (૩) દારૂ ()
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org