________________
છત્રીશી: ૧૧
૩૯
બધા કરતા આવ્યા છે, તો આપણે પણ કરવું જોઈએ.” આ પ્રકારની ચડવણીમાં ચડાઉ માણસ ફસાઈ પડે છે, ને શક્તિ ન હોય તો પણ વરો કરવા તૈયાર થાય છે. છેવટે ઘર વેચીને વરો કરે છે – કરવો પડે છે; પણ તે બરાબર નથી, વાજબી નથી, નરી મૂર્ખાઈ છે. ગૃહસ્થાશ્રમના પાયારૂપ કોઈ ચીજ હોય તો તે ગૃહ-ઘર છે. ગામમાં ઘર નહીં ને સીમમાં ખેતર નહીં એવા નરની સંસાર-વ્યવહારમાં કાંઈ પણ કિંમત નથી. ઘર વેચીને વરો કરનારને પાછળથી ઘણું સહન કરવું પડે છે. એવા વરામાં વ્યવહાર સિવાય આત્માનો કોઈ પણ વિશિષ્ટ લાભ સમાયો નથી હોતો કે જે સહન કરતાં પણ એ આત્મા સંતોષ માને કે ગમે તેમ થયું પણ આત્મકલ્યાણ તો સધાયું છે. પાછળથી જ્યારે એવા વરા કરનારની વિષમ સ્થિતિ થાય છે ત્યારે પહેલાંના સલાહ દેનારા જ તેને નિંદે છે, મૂર્ખ બનાવે છે, પડ્યા ઉપર પાટુ મારે છે. માટે એવી સ્થિતિમાં ન મુકાવું એ સુખનો રસ્તો છે. આ શિખામણમાં વરો કરવાની ના નથી પણ જેનામાં શક્તિ ન હોય અને ઘર વેચીને વરો કરવો પડે એમ હોય, તેને માટે એમ કરવું નહીં એ પ્રમાણે છે. પહોંચતો માણસ વરો ન કરે અને નાતમાં નિંદાય તો તે પણ મૂર્ખાઈ છે, કૃપણતા છે. વ્યવહારમાં રહેનારે તેના રિવાજોનું શક્તિ પ્રમાણે પાલન કરવું જરૂરી છે. વ્યવહારનું તંત્ર એ પ્રમાણે પરિપાલન થવાથી સુવ્યવસ્થિત ચાલે છે.
માણસ પહોંચતો ન હોય ને નાતવાળા પરાણે જમણ કરાવે ત્યારે મુસાભાઈનાં વા-પાણીવાળી વાત પણ ચાલાક માણસને કરવી પડે છે. તેમ કરવું પણ શોભાસ્પદ તો નથી જ.
મુસાભાઈની સ્થિતિ એક વખત તો ઘણી સારી હતી, પણ પાછળથી ઘસાઈ ગઈ હતી. નાતને જમાડવા માટે નાતવાળાઓ મુસાભાઈને વારંવાર કહ્યા કરતા હતા. એક વખતની સારી સ્થિતિવાળા મુસાભાઈ “અત્યારે સ્થિતિ સારી નથી.’ એમ કહેતાં શરમાતા એટલે આડાઅવળા જવાબો આપીને પ્રસંગને ઠેલ્યા કરતા હતા. આમ ઘણી વખત થયું. પછી તો રોજ નવાં નવાં બહાનાં ક્યાંથી કાઢવાં? એટલે મુસાભાઈ મૂંઝાયા. એક દિવસ તેમના મનમાં એક યુક્તિ ફુરી આવી. તેણે બધા નાતવાળાને જમણ આપ્યું. પાંચ પકવાન કર્યા. સુંદર જમવાની ગોઠવણ કરી. નાતીલા બધા બનીઠનીને જમવા માટે આવ્યા, નાતની પંગત બેઠી, તેમાં મુસાભાઈ પોતે જાતે એક હાથમાં પંખો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org