SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીશી : ૧૨-૧૩ હવે પછીની બે કડીમાં છત્રીશીકાર વ્યવહાર – વેપારને ઉપયોગી થોડી શિખામણો આપે છે. ૧૨-૧૩ ભણતાં ગણતાં આળસ તજીએ, લખતાં વાત ન કરીએજી; પરહસ્તે પરદેશ દુકાને, આપણું નામ ન ધરીએ નામું માંડો આળસ ઠંડી, દેવાદાર ન થઈએ જી; કષ્ટ ભયાનક થાનક વરજી, દેશાવર જઈ રહીએ (૫) આળસ તજીને નામું માંડવું. (૬) દેવાદાર ન થવું. (૧) ભણવા-ગણવામાં આળસ કરવી નહીં. (૨) લખતાં લખતાં વાત કરવી નહીં. (૩) પારકાની સત્તાવાળી દુકાનમાં પોતાનું નામ ન આપવું. (૪) પરદેશમાં રહેલી દુકાને પોતાનું નામ ન રાખવું. ૧૨ સુણજો સજ્જન રે! ૪૩ Jain Education International ૧૩ સુણજો સજ્જન રે.. (૭) કષ્ટ અને ભયવાળા સ્થાનને છોડી દઈ પરદેશ જઈને રહેવું. ભણવા-ગણવામાં આળસ કરવી નહીં - આળસ એ માનવોનો શત્રુ છે. ભણતર ઉદ્યમથી ચડે છે. વિદ્યા મેળવવાનો યોગ્ય સમય જીવનમાં અમુક જ હોય છે, તે સમય જો આળસમાં – પ્રમાદમાં ચાલ્યો જાય તો પાછળ પારાવાર પસ્તાવો થાય છે. પાછળથી પસ્તાવું ન પડે માટે પ્રથમથી જ પ્રમાદ ઉપર જય મેળવી લેવો જરૂરી છે. વિદ્યાવિહીનઃ પશુઃ” વિદ્યા વગરનો નર પુચ્છ વગરનો પશુ છે. એટલે પશુની કક્ષામાંથી પોતાને અલગ રાખવા માટે વિદ્યા મેળવવા ખંત કેળવવી આવશ્યક છે. વિદ્યાપ્રાપ્તિના મહાનુ શત્રુ આળસને તો સર્વપ્રથમ દૂર કરવી જોઈએ. For Personal & Private Use Only આળસ એ શરીરમાં રહેલો મનુષ્યોનો મહાન્ શત્રુ છે. અને ઉદ્યમ સમો કોઈ મિત્ર નથી કે જે ઉદ્યમ આચરીને આચરનાર દુઃખી થતો નથી. www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy