________________
છત્રીશી : ૧૨-૧૩
હવે પછીની બે કડીમાં છત્રીશીકાર વ્યવહાર – વેપારને ઉપયોગી થોડી
શિખામણો આપે છે.
૧૨-૧૩
ભણતાં ગણતાં આળસ તજીએ, લખતાં વાત ન કરીએજી; પરહસ્તે પરદેશ દુકાને, આપણું નામ ન ધરીએ
નામું માંડો આળસ ઠંડી, દેવાદાર ન થઈએ જી; કષ્ટ ભયાનક થાનક વરજી, દેશાવર જઈ રહીએ
(૫) આળસ તજીને નામું માંડવું.
(૬) દેવાદાર ન થવું.
(૧) ભણવા-ગણવામાં આળસ કરવી નહીં. (૨) લખતાં લખતાં વાત કરવી નહીં.
(૩) પારકાની સત્તાવાળી દુકાનમાં પોતાનું નામ ન આપવું. (૪) પરદેશમાં રહેલી દુકાને પોતાનું નામ ન રાખવું.
૧૨
સુણજો સજ્જન રે!
૪૩
Jain Education International
૧૩
સુણજો સજ્જન રે..
(૭) કષ્ટ અને ભયવાળા સ્થાનને છોડી દઈ પરદેશ જઈને રહેવું. ભણવા-ગણવામાં આળસ કરવી નહીં - આળસ એ માનવોનો શત્રુ
છે. ભણતર ઉદ્યમથી ચડે છે. વિદ્યા મેળવવાનો યોગ્ય સમય જીવનમાં અમુક જ હોય છે, તે સમય જો આળસમાં – પ્રમાદમાં ચાલ્યો જાય તો પાછળ પારાવાર પસ્તાવો થાય છે. પાછળથી પસ્તાવું ન પડે માટે પ્રથમથી જ પ્રમાદ ઉપર જય મેળવી લેવો જરૂરી છે. વિદ્યાવિહીનઃ પશુઃ” વિદ્યા વગરનો નર પુચ્છ વગરનો પશુ છે. એટલે પશુની કક્ષામાંથી પોતાને અલગ રાખવા માટે વિદ્યા મેળવવા ખંત કેળવવી આવશ્યક છે. વિદ્યાપ્રાપ્તિના મહાનુ શત્રુ આળસને તો સર્વપ્રથમ દૂર કરવી જોઈએ.
For Personal & Private Use Only
આળસ એ શરીરમાં રહેલો મનુષ્યોનો મહાન્ શત્રુ છે. અને ઉદ્યમ સમો કોઈ મિત્ર નથી કે જે ઉદ્યમ આચરીને આચરનાર દુઃખી થતો નથી.
www.jainelibrary.org