________________
છત્રીશી: ૧૦
તો અત્યુષ્ણ નથી પણ પછીથી થઈ જશે.” એમ કહી પંડિતજી પોતાને ઘેર ગયા.
વખત જતાં રાજપુત્રીને યોગ્ય વિદ્વાન વર શોધી લાવવાનો કાર્યભાર રાજાએ પંડિતજીને સોંપ્યો. પંડિતજીએ તેનો સ્વીકાર કર્યો ને પ્રથમની મશ્કરીનો પૂરેપૂરો બદલો વાળવાનો વિચાર કર્યો. જંગલમાં જતાં એક સુંદર આકૃતિવાળા ભરવાડને ઝાડ ઉપરથી બકરાંઓ માટે પાલો નીચે નાખતાં જોયો ને પછી જે ઝાડ ઉપર તે બેઠો હતો તે ડાળને કુહાડાથી છેદતો જોયો. પંડિતજીએ તેને પૂછ્યું કે – “ભાઈ! જે ડાળ ઉપર બેઠો છે તેને જ શા માટે છેદે છે?” તેણે જવાબ આપ્યો કે “આમ ઊતરવાની મહેનત કોણ કરે! આ ડાળ કપાશે એટલે ડાળ અને હું બંને એકસાથે નીચે પહોંચીશું. ઊતરવાની મહેનત બચશે ને ડાળનું લાકડું કામમાં આવશે.” પંડિતજીને લાગ્યું કે ખરેખર આ મહામૂર્ખ છે, એટલે તેને સાથે લીધો ને છ મહિના પોતાને ઘેર રાખ્યો. છ મહિનામાં તેને કેટલાક બાહ્ય સંસ્કારો આપીને ઠીકઠાક કર્યો. ‘ઉમાપતિ શંકરરતાં રક્ષતુ – એવો આશીર્વાદ રાજાને આપવા માટે ગોખાવ્યો ને પંડિતજી તેને રાજસભામાં લઈ ગયા. મહામૂર્ખતાને લઈને ગોખેલો આશીર્વાદ તે ભૂલી ગયો ને સહસા ‘ઉશર એ પ્રમાણે બોલી ગયો. પંડિતજીએ તેને ઇશારાથી મૌન રહેવા સમજાવી દીધું અને રાજા તથા સભાને કહ્યું કે “આ અમુક દેશના મહાપંડિત છે. ઊગતી વયમાં ઘણું જ વિશિષ્ટ જ્ઞાન સંપાદન કરી લીધું છે. તેઓ વધારે બોલતા નથી, આશીર્વાદ મંત્રાક્ષર જેવો છે. તે આશીર્વાદનું રહસ્ય આ પ્રમાણે છે. મને પણ તે તેમની સાથેના લાંબા સહવાસથી સમજાયું છે.
. “ઉમવા સહતો નૃત્યનું, શંકર શૂલપાણિભૂત !
રક્ષતુ ત્યાં હિ રાજેન્દ્રા ટંકારબલગર્વિતઃ II - (નાચ કરતા, હાથમાં શૂલધારી, ટંકારબલના ગર્વવાળા શંકર ઉમા સહિત હે રાજેન્દ્ર! નિશ્ચયે તમારું રક્ષણ કરો.)
પંડિતજીના આ પ્રસ્તાવથી રાજા ને સભા ખૂબ ખુશ થયાં. છેવટે જ્યારે પંડિતજીએ પોતાનું કથન પૂરું કરતાં કહ્યું કે રાજા સાહેબે મને વિદુષી રાજપુત્રીને યોગ્ય સ્વામીની શોધ કરવાનો ભાર સોંપ્યો હતો તે માટે ઘણી મહેનતે હું આ મહાશયને શોધી લાવ્યો છું. ત્યારે તો સર્વના હર્ષનો પાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org