________________
૩૪
હિતશિક્ષા
જ ન રહ્યો.
પછી તો વિલંબ ન કરતાં તેની સાથે રાજપુત્રીનો વિવાહ કરવામાં આવ્યો. સતત સાહિત્યમાં રત રાજપુત્રીને જ્યારે પોતાનો પતિ નિતાંત મૂર્ખ છે એવી જાણ થઈ ત્યારે તે મનમાં ખૂબ દુભાણી ને ઉઠાવીને લાત મારીને તેણે પોતાના પતિને ત્યાંથી હાંકી કાઢ્યો. પોતાની મૂર્ખતા અને વિષમતાને નિંદતો તે પણ એક દેવીના મંદિરમાં જઈને આસન લગાવી બેઠો. એણે મનમાં નિશ્ચય કર્યો કે ક્યાં તો અહીં મરી જવું ને ક્યાં તો પૂર્ણ વિદ્વાનનું વરદાન લઈને જીવવું. એકવીસ દિવસે દેવીએ પ્રસન્ન થઈને વરદાન દીધું. એ કવિ કાલિદાસ કહેવાયો. પ્રસ્તુતમાં આ કથા એ સમજાવે છે કે પંડિતની મશ્કરી-હાંસી ન કરવી. એનું પરિણામ આ પ્રમાણે કોઈ વખત ઘણું જ ખરાબ આવે છે.
[૩૭]. હાથી, વાઘ અને સાપ લડતા હોય ત્યારે ત્યાં આગળ ઊભા રહેનારને બને રીતે નુકસાન થાય છે. એક તો તે લડતાં લડતાં ક્યારે વિફરશે અને કોના ઉપર જઈ પડશે એ સમજાતું નથી. પોતાના તરફ વળે ત્યારે જો પોતે અસાવધ હોય ને તેના સકંજામાં આવી પડે તો આવી બને છે. સાવધ હોય ને ત્યાંથી ભાગે ત્યારે ઊંચે ચાસે એવું દોડવું પડે છે કે સૂધબૂધ ઊડી જાય છે. ભાગતાં ભાગતાં ઠોકર વાગે, કોઈ સાથે અથડાઈ જવાય, ખાડા-ખડિયામાં પગ આવે ને ઈજા થાય, એ સર્વ વિનાકારણ સહન કરવું પડે છે. બીજું, એ લડાઈ જતાં પરિણામ એવાં ખરાબ થાય છે કે તેથી આત્મા ઘણાં અશુભ ચીકણાં કર્મ બાંધે છે. એ રીતે અનેક જન્મ બગડે છે. કેટલેક સ્થળે પોતાની માનસિક વૃત્તિઓની ક્રૂરતા સંતોષવાની ખાતર આવાં પ્રાણીઓને માદક પદાર્થો ખવરાવીને બઝાડેલડાવે છે. તે જોવા માટે ઘણાં માણસો વ્યવસ્થિત એકઠાં થાય છે. સરકસ આદિમાં પણ આવા પ્રયોગો દેખાડવામાં આવે છે. મદારીઓ સાપ નોળિયાને લડાવે છે. એ સર્વ જોનારને એકંદર પાપકર્મ હાંસલ થાય છે. પૈસા આપીને પાપ ખરીદવાનાં આ સર્વ મોહક ને ભ્રામક સ્થાનો છે. તેથી સમજુ આત્માએ અવશ્ય બચવું જરૂરી છે. એથી બચનાર એ ખરેખર બચી જાય છે ને તેમાં ફસાનારો ખરેખર ફસાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org