________________
૩ર
હિતશિક્ષા
એટલે તેની નાખુશી હોય ત્યારે મશ્કરી કરનારને મશ્કરી ભારે પડી જાય છે. રાજા કોપે ત્યારે પ્રાણ પણ જોખમમાં આવી પડે છે. કદાચ એવા કોઈ પ્રસંગે હાંસી થઈ જાય – ન રહેવાય તો ઠાવકા રહેવું, મશ્કરી ખુલ્લી પડી જાય એમ કરવું નહિ – હસવું નહિ. હસવાથી બાજી જલદી બગડી જાય
રાજાની જેમ રાજ્યના વિશિષ્ટ અધિકારીઓની પણ મશ્કરી ન કરવી. વડોદરાના વિશિષ્ટ અધિકારીની મશ્કરી કરવા જતાં સિદ્ધપુરના વહોરાઓને ખૂબ જ સહન કરવું પડ્યું હતું.
પંડિતની મશ્કરી કરવાથી વિદ્યાને ધક્કો પહોંચે છે, જે વિદ્યા-ગુરુ છે. તેનો જ ઉપહાસ કરવાથી તેનું મન વિદ્યાર્થી ઉપર નારાજ થાય છે ને તેથી તેને ભણાવવામાં તેનો ઉલ્લાસ ઓસરી જાય છે.
| વિક્રમના અનેક પ્રબંધો છે. તેમાં એક પ્રબંધમાં એક વાત આવે છે કે – રાજા વિક્રમની પુત્રીને ભણાવવા માટે એક મહાન વિદ્વાન પંડિત રાખ્યો હતો. બહુ જ સારી રીતે ભણાવીને પંડિતે રાજપુત્રીને શાસ્ત્રોમાં કુશલ બનાવી. એકદા ભણીગણીને તૈયાર થયા બાદ રાજકન્યા ગવાક્ષમાં બેઠી હતી. ઉનાળાનો સમય હતો. પંડિતજી નીચેથી પસાર થતા હતા. રાજપુત્રીએ પંડિતજીને ઊભા રાખ્યા ને તાજો આવેલાં આમ્રફળો લઈ જવા કહ્યું. વૃદ્ધ પંડિત ઊભા રહ્યા ને કહ્યું કે હું થાકી ગયો છું માટે ઉપર નહિ ચડું, ઉપરથી નાખો હું ઝીલી લઈશ.” – એમ કહી પંડિતજીએ ખેસ પહોળો કર્યો ને રાજકન્યાએ ઉપરથી ઘણાં આમ્રફળો નાખ્યાં. પંડિતજીએ ફળો ઝીલ્યાં તો ખરાં પણ કેટલાંક ફળ નીચે ધૂળમાં પડી ગયાં. તે ફળો લઈને તેના ઉપરની ધૂળ દૂર કરવા માટે પંડિતજી ફળને ફૂંક મારવા લાગ્યા. તે જોઈને ઉપહાસ કરવા રાજપુત્રી બોલીઃ “કિમ્ અત્કૃષ્ણાનિ સત્તિ ફલાનિ? – શું ફળો બહુ ઊનાં છે?” આ મીઠી મશ્કરી પંડિતજીને આકરી લાગી. તેમને લાગ્યું કે – એક તો મારી વૃદ્ધાવસ્થા છે, બીજું એક હાથ આ ફળોમાં રોકાયેલો છે, ત્રીજું વસ્ત્રથી ધૂળ સાફ કરું તો વસ્ત્ર મલિન થાય. એટલે ધૂળ ઉડાડવાનો અવશિષ્ટ આ એક જ ઉપાય છે. તે સમજ્યા વગર આ પણ્ડિતમન્યા છોકરી મારો ઉપહાસ કરે છે તો મારે તેને ઠેકાણે લાવવી પડશે. એવી મનમાં ગાંઠ વાળીને ઉત્તર આપ્યો કે “સાપ્રત ન સન્તિ અયુષ્માનિ કિન્તુ ભવિષ્યન્તિ – અત્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org