SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીશી : ૧૦ કેટલાક માણસોને ટીખળ-મશ્કરી કરવાની ઘણી જ ખરાબ ટેવ પડી હોય છે. તેઓ કોની મશ્કરી કરવી અને કોની ન કરવી, ક્યારે કરવી અને ક્યારે ન કરવી એનો વિવેક-વિચાર કરતાં નથી – અને જે કોઈ હાથમાં આવે તેનો ઉપહાસ કરે છે. ઘણી વખત તેનું પરિણામ બહુ ભારે પડી જાય છે. કોઈની પણ ઠેકડી કરવી નહીં, છતાં ન રહેવાતું હોય તો શિક્ષાકાર જણાવે છે તેટલાની તો ન જ ક૨વી. એ પ્રમાણે નીચે વર્ણવેલા યુદ્ધે ચડ્યા હોય ત્યારે ત્યાં ઊભા ન રહેતાં ત્યાંથી ખસી જવું. ૧૦ મૂરખ જોગી રાજા પંડિત, હાંસી કરી નવી હસીએ જી; હાથી વાઘ સર્પ નર વઢતાં, દેખીને દૂર ખસીએ ૧૦ સુણો સજ્જન રે.,, (૧) મૂર્ખ, યોગી, રાજા અને પંડિત એ ચારની હાંસી કરીને હસવું નહિ. (૨) હાથી, વાઘ, સર્પ અને ન૨ લડતા હોય ત્યારે ત્યાં ઊભા ન રહેતાં દૂર ખસી જવું. ૩૧ [3૬] મૂર્ખ, યોગી, રાજા અને પંડિત એ ચારની હાંસી કરીને હસવું નહિ – મૂર્ખ માણસ મશ્કરીનો મર્મ સમજી શકતો નથી ને તેથી લડવા તૈયાર થઈ જાય છે. એટલે મૂર્ખ માણસને હસવાથી હાસ્યની મઝા-ગમ્મત મળતી નથી અને લડવાથી મૂર્ખ ગણાવું પડે છે. મૂર્ખની મશ્કરી કરવામાં કોઈ પ્રકારનો લાભ નથી. Jain Education International યોગીઓની મશ્કરી કરવાથી મહાપાપ બંધાય છે. કોઈ વખત યોગી ક્રોધમાં આવીને શાપ આપે તો ભારે થઈ પડે છે. યોગીઓનો ઉપહાસ કરવા જતાં અનેક આપત્તિઓ આવી પડ્યાનાં દૃષ્ટાંતો પુરાણોમાં સંખ્યાબંધ છે. લોકમાં પણ ઘણી વાતો પ્રસિદ્ધ છે. માટે સાધુઓની કે યોગીઓની મશ્કરી કરવી નહિ. રાજા ક્યારે ખુશ હોય અને ક્યારે નાખુશ હોય એ કળી શકાતું નથી For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy