________________
છત્રીશી: ૮
છે. સ્વાભાવિક રીતે તે ચાલે ત્યારે પણ તેને દૂરથી જોઈએ તેમાં જ મજા છે. ઉન્માદે ચડેલો હાથી તો કાંઈનું કાંઈ કરી નાંખે છે. હાથીને હજાર હાથ દૂર રહીને જોવો એમ નીતિશાસ્ત્ર કહે છે.
એ પ્રમાણે અશ્વથી સો હાથ દૂર રહેવું. ચિડાયેલ ઘોડો કોઈક વખત લાત મારે તો ભોં ભારે થઈ પડે. ગાડી એટલે બળદ જોડેલી સમજવી. અર્થાત્ બળદ વગેરે શીંગડાવાળાં પ્રાણીઓથી દસ હાથ દૂર રહેવું. શીંગડું તીક્ષ્ણ હોય છે ને તે માથું મારે ત્યારે છ મહિના ખાટલે પડી રહેવાનો વખત આવે. આવા બનાવો રોજબરોજ બન્યા કરે છે. માટે પોતાનું સંરક્ષણ ઇચ્છનારે આ શિખામણો ઉપર ખાસ ખ્યાલ રાખવાનો છે. પણ કવિનો કહેવાનો મુખ્ય આશય તો દુર્જનથી ખાસ દૂર રહેવા ઉપર છે. ઉપરનાં ત્રણ બહુ બહુ તો શારીરિક નુકસાન કરનારાં છે, પણ દુર્જન તો બાહ્ય અને અત્યંતર નુકસાન એવું કરે છે કે તે સારું લાગતું જાય છે ને બચી શકાતું નથી. એવા દુર્જનથી દૂર રહેવા માટે દેશ છોડી દેવો પડે તો પણ બહેતર છે પણ તેનો સંસર્ગ ન કરવો. નીતિશાસ્ત્ર પણ આ વિષયમાં સંમતિ આપે છે –
હસ્તી હસ્તસહસ્રણ, શતહસ્તેન વાજિનઃ |
ફિગણો દશહતેન, દેશત્યાગેન દુર્જનઃ || ૧ || પૂર્વેની કડીઓમાં અન્યથી નુકસાન થાય એવા સંયોગોથી બચવા કેટલીક શિખામણો આપી, હવે આ આઠમી કડીમાં પોતાના જ અમુક સ્વભાવટેવ-આદતને લઈને હાનિ થાય છે તેથી બચવા તેવા પ્રકારની ટેવ કે સ્વભાવમાં સુધારો કરવા શિખામણ આપે છે.
રમત કરતાં રસ ન કરીએ, ભય મારગ નવિ જઈએ જી, બે જણ વાત કરે જિહાં છાની, તિહાં ઊભા નવિ રહીએ ૮
સુણજો સજ્જન રે. (૧) રમત કરતાં રીસ ન કરવી. (૨) ભયવાળે રસ્તે જવું નહિ. (૩) બે જણા છાની વાત કરતા હોય ત્યાં ઊભા રહેવું નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org