________________
ર૪
હિતશિક્ષા
વગર રહેતો નથી.
આ શિખામણ સાથે બીજી પણ આને મળતી શિખામણ કવિએ આ સાથે જ કહી દીધી છે કે – જાણીતે ગામે પણ અજાણ્યાનો સાથે કરીને ન જવું. અજાણ્યા માણસનો સાથ કરવાથી અનેક પ્રકારનાં સંકટો આવી પડે છે એ સ્પષ્ટ છે. માટે અણજાણ્યા-શું ગામ જવું નહીં.
[૨૭]. ઝાડ નીચે વાસ વસવો નહિ – ઝાડ તલે વાસ કરવાથી ગેરલાભો આ પ્રમાણે છે –
(૧) ઝાડ ઉપર અનેક પક્ષીઓ - જીવજંતુઓ રહેતાં હોય છે. તે ચરકે એટલે શરીર-વસ્ત્ર વગેરે ખરાબ થાય. જીવ-જંતુઓમાં કોઈ ઝેરી હોય તો જીવ પણ જોખમમાં મુકાય.
(૨) કેટલાંક ઝાડ ઉપર ભૂત-પ્રેતાદિ વ્યંતરોનો વાસ હોય છે. એટલે તેઓ જો ચાહે કે ચિડાય ને વળગે તો અનેક પ્રકારનાં દુઃખો ઊભાં થાય. ખરેખર કે વહેમથી પણ એ રીતે અનેક દુઃખો અનેકે સહ્યાના બનાવો બન્યા કરે છે.
(૩) ઝાડ નીચે વાસ કરવાથી પ્રાણવાયુ ઓછો મળે છે, કારણ કે રાત્રિએ ઝાડ (Carbon-dioxide) કાર્બન ડાયોકસાઈડ બહાર કાઢે છે ને એ રીતે કેટલાકને મૂંઝારો પણ થાય છે.
() કેટલાંક કાંટાવાળાં ઝાડ નીચે રહેવાથી કાંટાઓ વાગે, વસ્ત્રાદિ ચિરાય વગેરે નુકસાન પહોંચે છે.
(૫) ઝાડની આજુબાજુ ઘણી આપત્તિજનક પરિસ્થિતિ હોય છે. તેનો સામનો કરવામાં પણ ગેરલાભ છે અને સામનો નહિ કરવામાં પણ ગેરલાભ છે. ઈત્યાદિ અનેક રીતે જોતાં ઝાડ નીચે વાસ ન કરવો એ હિતકર છે.
[૨૮] ચાલતાં હાથી, ઘોડાં અને ગાડીથી તથા દુર્જનથી દૂર રહેવું.
હાથી સૂંઢવાળું મહાકાય પ્રાણી છે. તે બહુ સારી સમજ ધરાવે છે. કોઈ તેને સતાવે તો તે તરત જ ચિડાય છે ને સતાવનારને બરાબર નશ્યત પહોંચાડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org