________________
છત્રીશી: ૭
૨૩
રૂપિયા તમારે આપવા પડશે.” મોજડીવાળાને કહ્યું કે તે તને કહેશે કે – રાજાને ત્યાં પુત્રજન્મ થાય તો તું રાજી કે કરાજી? – તારે કહેવું પડશે કે રાજી, – આમ તને રાજી કરી દેશે ને કાંઈ પણ આપશે નહિ.” કાણિયાને યમઘંટાએ કહ્યું કે ભાઈ! મારે ત્યાં તારા જેવા ઘણા જણા આંખ ગીરો મૂકી ગયા છે, તેમાં તારી કઈ ને બીજાની કઈ એ કાંઈ ખબર પડતી નથી, માટે તારી બીજી આંખ કાઢીને બરાબર વજન કરીને તું તારી આંખ લઈ જા.” એ પ્રમાણે તે તને કહેશે એટલે તારે ચૂપ થઈ જવું પડશે. છેલ્લે ધૂને કહ્યું કે તે તમને કહેશે – ચાલો ભાઈઓ! સમુદ્રના પાણીનું માપ હું તમને કરી આપું, પણ પહેલાં તમે સમુદ્રમાં આ નદીઓનું પાણી ભળ્યા કરે છે, તેને બંધ કરો, એટલે ખરું માપ થાય. તમે એ કરી શકશો નહિ ને શરત હારી જશો. બધા કહેવા લાગ્યા, ‘એ કાંઈ તમે કહો છો એવો ચાલાક નથી. એ તો બુધ્ધ જેવો છે. માટે કાંઈ ચિંતા કરવા જેવું નથી.'
રત્નચૂડને ચાવી મળી ગઈ. રણઘંટાને ખુશ કરીને તે પોતાને આવાસે આવ્યો ને યમઘંટાની યુક્તિઓ બરાબર મનમાં ઠસાવી રાખી. છેવટે બધાને બરાબર જવાબો આપીને તે ઠગોને પણ ઠગ્યા ને કુશલક્ષેમપૂર્વક પોતાને ગામ પહોંચ્યો. આમ અજાણ્યા ગામમાં આવા પ્રકારની ફસામણીમાં પડવાનો પૂરો સંભવ છે માટે એવા ગામે જવું નહિ અને વ્યવહાર-વેપાર વગેરે કારણસર જવું પડે તો જાણીતાનો સાથે કરીને જવું. ત્યાંની રીતરસમો પૂરી સમજી લેવી. અમુક દેશમાં અમુક પ્રકારનું વર્તન માફક આવે ત્યાં જુદી રીતે વર્તવા જતાં નુકસાન થાય, માટે સાવધ રહેવું જોઈએ.
નીતિશાસ્ત્રમાં વિનોદ કરતાં દિલ્હી ને મથુરા તરફના પ્રદેશનો કોઈ કવિને કડવો અનુભવ થયો હશે તેથી તેણે એક શ્લોક રચ્યો છે જે આવા પ્રસંગોમાં બીજાને સાવધ કરે છે. તે શ્લોક આ પ્રમાણે છે –
બપો ચીરો બuપુત્રોવપિ ચૌર, સમાગઃ પ્રાઘુરિકોડપિ ચૌરઃ | દિલીપ્રદેશે મથુરપ્રદેશ, ચૌરં વિના ન પ્રસવનિ નાર્ય | ૧ |
બાપ ચોર, છોકરો ચોર, આવેલો મહેમાન પણ ચોર, દિલ્હી ને મથુરાના પ્રદેશમાં સ્ત્રીઓ, ચોર સિવાય બીજાને જન્મ જ આપતી નથી. ભાષામાં પણ કહેવાય છે કે દિલ્હીનો ઠગ છે. આ સર્વ તે પ્રદેશની પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. એ સ્થિતિને નહિ જાણનાર તેવા પ્રદેશોમાં ગયા પછી છેતરાયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org