________________
હિતશિક્ષા
ને મારી આંખ પાછી આપો. આટલા દિવસ તો આંખ વગર “કાણિયા"નું દૂષણ સહ્યું; પણ હવે આપ પોતે જ પધાર્યા છો, તો શા માટે આંખ વગર
રહેવું?
આ સાંભળીને રત્નચૂડ મૂંઝાયો, તેને કાંઈ સૂછ્યું નહિ. તેણે રૂપિયા તો લઈ લીધા ને પછીથી મળજો' – કહીને કાણિયાને વિદાય કર્યો. “બેટો ઠીક ફસાયો છે,’ એમ મનમાં ગણગણતો કાણિયો વિદાય થયો. થોડો વખત વિત્યો ત્યારે ત્રણચાર ધૂત ત્યાં આવ્યા. રત્નચૂડને કુશળક્ષેમ પૂછીને બેઠા.
અલકમલકની વાતો કરતાં કરતાં વાદે ચડડ્યા. એક કહેવા લાગ્યો કે “ભાઈ! દુનિયામાં બધું કરી શકાય છે પણ સમુદ્રનું પાણી માપી શકાતું નથી અને નદીની રેતીના કણિયા ગણી શકાતા નથી.” બીજાએ એમાં પુરવણી કરી ત્યારે ત્રીજાએ કહ્યું કે “તમે કૂવાના દેડકા જેવી વાત કરો છો. તમે ન કરી શકો એટલે એ અશક્ય ને અસંભવિત છે, એમ માનવું ભૂલભરેલું છે. એવાં કાર્યો કરનારા પણ વિશ્વમાં પડ્યા છે. આ શેઠ પધાર્યા છે, એ ખુબ જ હોશિયાર છે, દેશદેશાવર ફરે છે. તમારી બુદ્ધિ બુઠ્ઠી હોય એટલે બધાની થોડી હોય છે? તેમને આ કાર્ય સોંપો તો બુદ્ધિથી તરત જ કરી આપે.” એ પ્રમાણે વાતનો રસ જમાવીને છેવટે સમુદ્રનું પાણી કેટલું છે તેનું માપ-વજન કરવાનું કાર્ય શરત કરાવીને શેઠને સોંપ્યું. થોડી આડીઅવળી વાતચીત કરતાં સૌ ઊઠ્યા.
સાંજ પડી ત્યારે રત્નચૂડ મૂંઝાયો કે – “આ બધા વિષમ પ્રસંગોનો પાર કેમ આવશે?” ત્યાં એક રણઘંટા નામે વેશ્યા રહેતી હતી. તેને ત્યાં તે ગયો. ભાગ્યજોગે રણઘંટાને તેના પ્રત્યે સદ્ભાવ જાગ્યો. તેણે પોતાની વાત હૃદય ખોલીને વેશ્યાને કહી. વેશ્યાએ કહ્યું કે “મારી મા યમઘંટા આ બધાની ઘદી છે. રાતે બધા તેની પાસે આવશે ને ત્યાંથી તમોને માર્ગદર્શન થશે.” સ્ત્રીનો વેશ પહેરાવીને પોતાની સખીરૂપે રણઘંટા રત્નચૂડને યમઘંટા પાસે લઈ ગઈ. બધા ત્યાં એકઠા થયા ને પોતે એક શ્રીમંત વેપારીને કેવો ફસાવ્યો છે તેની વાત કરવા લાગ્યા. તે દરેકની તે તે વાતનો પ્રતિકાર કરતાં યમઘંટા કહેવા લાગી કે –
તમે બધા તમારી બુદ્ધિ ઉપર મુસ્તાક છો, પણ જો તે તમારા માથાનો હશે તો તમને બનાવી જશે, તે કહેશે કે “અહીંના મચ્છરનાં હાડકાંથી મારાં વહાણો ભરી આપો, તો તમારાથી ના નહિ કહી શકાય ને છેવટે મોંમાંગ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org