________________
છત્રીશી: ૭
૩. ચાલતાં હાથી, ઘોડા અને ગાડીથી તથા દુર્જનથી દૂર રહેવું.
[૨૬]
અણજાણ્યા ગામે અથવા અજાણ્યા સાથે ગામતરે ન જવું – જે ગામ આપણું જાણીતું નથી, જ્યાંના રીતરિવાજો કેવા છે? માણસો કેવાં છે? માણસો કેવાં છે? રાજા કેવો છે? રક્ષકો કેવા છે? વગેરેનો પરિચય નથી, એવા ગામે જવાથી અનેક આપત્તિઓ ઊભી થાય છે. કેટલાંક ગામ એટલાં બધાં વિચિત્ર હોય છે કે ત્યાં જવાથી બાહ્ય નુકસાન થાય છે એટલું જ નહિ પણ પ્રાણ અને ચારિત્ર પણ પૂરા જોખમમાં મુકાય છે.
શાસ્ત્રમાં આવતી રત્નચૂડની કથા આ શિખામણ ઉપર સારો પ્રકાશ પાડે છે.
રત્નચૂડ વેપારીનો પુત્ર હતો. પરદેશ કમાવા માટે જતાં – તેના પિતાએ શિખામણ આપી કે “બધે જજે, પણ એક અનીતિપુર નામનું ગામ છે, ત્યાં ન જતો.' રત્નચૂડ વહાણો ભરીને ચાલ્યો. નસીબજોગે અનીતિપુરે જ જઈ પહોંચ્યો. વહાણો નાંગર્યાં ને તે નીચે ઊતર્યો ત્યાં તો અનેક આવી પહોંચ્યા ને કહેવા લાગ્યા કે – “લાવો શેઠ! તમારો બધો માલ અમે વેચી આપીશું ને આપ પધારશો ત્યારે આપ કહેશો તે વસ્તુઓથી (અહીં થતી) આપનાં વહાણો ભરી આપીશું. ગામ એવું હતું કે ત્યાં કોઈ કિંમતી ચીજ થતી જ નહિ, એટલે દલાલોને ગભરાવા જેવું નહિ. ભોળા રત્નચૂડે બહુમૂલ્ય માલ એ લુચ્ચા દલાલોને સોંપી દીધો ને પોતે ગામમાં ગયો. એક સુંદર આવાસમાં મુકામ કર્યો. થોડો વખત થયો નહિ ત્યાં એક માણસ ત્યાં આવ્યો ને એક સુંદર મોજડી ભેટ કરી ગયો – ભેટ આપતાં આપતાં કહેતો ગયો કે “શેઠ! મને રાજી કરજો.” રત્નચૂડે વિચાર્યું કે તેની ઇચ્છા કરતાં થોડું વધારે આપીશું એટલે રાજી થઈ જશે. પરદેશમાં થોડું ઉદાર રહેવું જોઈએ, એમ વિચારીને તેણે કહ્યું કે “સારું.' બપોરે આરામ કરીને તે બેઠો હતો ત્યાં એક કાણિયો આવ્યો ને લાખ રૂપિયા આપીને કહેવા લાગ્યો કે “સારું થયું કે આપ અહીં પધાર્યા છો. વર્ષો પહેલાં આપના પિતા અહીં પધાર્યા હતા. મારે રૂપિયાની ઘણી જ જરૂર હતી એટલે મારી આંખ આપને ત્યાં ગીરો મૂકીને રૂપિયા લાખ લીધા હતા. આપના પસાથે હવે મારે લીલાલહેર છે. આ લાખ રૂપિયા લ્યો.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org