________________
હિતશિક્ષા
એ દીવા જેવું છે. વિઘ્ન નાખનારા દુર્જનો વિઘ્ન નાખ્યા વગર ન રહે. આવા આંતરિક લાભના કાર્યમાં તો માતાપિતા પણ જો સાનુકૂલ વૃત્તિનાં ન હોય તો અન્ય જન જેવાં છે, એ ભૂલવા જેવું નથી.
બાહ્ય ગેરલાભમાં ધનની મોટી નુકસાની આવી હોય, કુટુંબ-કલહના વિષમ પ્રસંગો ઉત્પન્ન થયા કરતા હોય વગેરે વાતો આવે છે. તે વાતો જો ફેલાય તો અનેક પ્રકારે હાનિ થાય છે, એ સ્પષ્ટ છે.
આંતરિક ગેરલાભની વાતોમાં પોતાના માનેલા કુટુંબ-પરિવારના લોકનિન્દિત દૂષણોની વાતો આવે છે. એ દૂષણોની વાતો ફેલાવાથી કાંઈ દૂષણો દૂર થઈ જતાં નથી અને આબરૂને ધક્કો પહોંચે છે. વૃત્તિ પણ નિષ્ઠુર ને નિર્લજ્જ બની જાય છે.
૨૦
આવી કેટલીક ગુપ્ત વાતો મનમાં ને મનમાં રાખીને મૂંઝાયા કરવું એ વાજબી નથી, પણ માતા, પિતા અને ગુરુને એ વાતો વિના સંકોચે – મનમાં કપટ વહેમ રાખ્યા વગર સ્પષ્ટ જણાવવી. એથી લાભ થાય છે. તેઓ માર્ગ બતાવે છે. એથી લાભની વાતને ધક્કો પહોંચતો નથી અને ગેરલાભની વાતોનો ઉકેલ આવે છે. માટે ગુહ્ય-ગુપ્ત વાતો કોઈને ન જ કરવી એવું આ શિક્ષામાં નથી પણ આપણને સાચું માર્ગદર્શન કરાવે તેને કહેવી, એ પણ આ શિક્ષામાં આવે છે.
કેટલાંએક અન્ય નુકસાનોથી બચવા માટે આ સાતમી કડીમાં કેટલીક શિક્ષાઓ આપે છે.
અણજાણ્યાં શું ગામ ન જઈએ, ઝાડ તળે નવિ વસીએ જી, હાથી ઘોડાં ગાડી જાતાં દુર્જનથી દૂર ખસીએ
છ
સુણજો સજ્જન રે!
૧. અણજાણ્યા ગામે અથવા અજાણ્યા માણસનો સાથ કરીને ગામતરે
ન જવું.
૨. ઝાડ નીચે વાસ કરવો નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org